________________
३४४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અર્થાત્ તે આજ્ઞા પ્રમાણે અમે કરશું. ત્યારપછી તેઓ ગયા, મારા વડેકકનકશેખર વડે, ચતુરને કહેવાયું – હે ભદ્ર ! આ પિતા વડે જ્ઞાત છે મંત્રીએ જે કહ્યું છે તે પિતા વડે જ્ઞાત છે. ચતુર કહે છે જ્ઞાત છે. મારા વડે કહેવાયું – કોના પાસેથી પિતા વડે જ્ઞાત છે ? ચતુર વડે કહેવાયું – તે જ દુર્મુખથી પિતા વડે જ્ઞાત છે. મારા વડે કહેવાયું – તેથી-દુખના કથનથી, પિતા વડે શું આચરિત કરાયું, ચતુર કહે છે – કંઈ આચરણ કરાયું નહીં. કેવલ ગજતિમિલીકા કરાઈ ઉપેક્ષા કરાઈ. તેથી મારા વડે વિચારાયું - જો આ દુર્મુખ કેવલ જ પિતાને અનભિપ્રેત આ કરત તો હું આને આવા અવિનયનું જે ફળ છે તે બતાવત. વળી, જ્યારે પરકૃત અપ્રતિષિદ્ધ અનુમત છે એ ન્યાયથી ઉપેક્ષાને કરતા પિતાને આ અભિમત જ છે=મંત્રીનું કૃત્ય અભિમત જ છે, ત્યારે આમાં=મંત્રીના કૃત્યમાં, અમે શું કરીએ. જે કારણથી દુષ્પતિકારવાળાં માતા-પિતા છે એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું છે. તેથી પિતાની સાથે વિગ્રહ કરવો યુક્ત નથી–પિતાને પોતાનો વિરોધ બતાવવો યુક્ત નથી. વળી, આવા પ્રકારનું આ જોવા માટે શક્ય નથી. તે કારણથી અહીંથી–પિતાના રાજ્યમાંથી, ચાલ્યા જવું જ શ્રેય છે. એ પ્રમાણે વિચારીને કોઈને પણ કહ્યા વગર આપ્ત મિત્રવૃન્દની સાથે અપક્રાંત થયેલો એવો હું પિતાના રાજ્યમાંથી નીકળેલો એવો હું, અહીં આવ્યો છું તેથી જનક વડે મારું આ અપમાન કરાયું છે. “તિ' શબ્દ કનકશેખરના કથનની સમાપ્તિ માટે છે. મારા વડે=નંદિવર્ધન વડે કહેવાયું – હે કુમાર ! તારા વડે સુંદર કરાયું. અભિમાનશાલી પુરુષોને માનસ્લાવિકારી એવા પુરુષો સાથે એકત્ર નિવાસ યુક્ત નથી જ. શ્લોક :
તથાદિभास्करस्तावदेवास्ते, गगने तेजसां निधिः ।
निषूय तिमिरं यावत्, कुरुते सज्जनोत्सवम् ।।१।। બ્લોકાર્ય :તે આ પ્રમાણે – તેજનો નિધિ એવો સૂર્ય ત્યાં સુધી જ ગગનમાં રહે છે, અંધકારને દૂર કરીને જ્યાં સુધી સર્જનના ઉત્સવને કરે છે. ll૧II. શ્લોક :
यदा तु लक्षयत्येष, तमसोऽपि महोदयम् ।
तदाऽपरसमुद्रौगत्वा कालं प्रतीक्षते ।।२।। શ્લોકાર્ચ -
વળી, જ્યારે આરસૂર્ય, જાણે છે અંધકારનો પણ મહાન ઉદય છે ત્યારે અપરસમુદ્રમાં જઈને કાલની પ્રતીક્ષા કરે છે. રા.