________________
૩૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે એમ ધવલ કહ્યું. તેથી=બલાધિકૃતે આ પ્રમાણે કહ્યું તેથી, તાત જે આજ્ઞા કરે છે એ પ્રમાણે બોલતો હું પરિવાર સહિત ચાલ્યો. તાતના બલમાં=પિતાની સેનામાં, હું મળ્યો. મારા વડે ધવલ પુછાયો, કઈ રીતે આ કનકશેખર અમારો બંધુ છે ? ધવલ વડે કહેવાયું છે કારણથી કનકચૂડ નંદાનો સહોદર છે, તેથી તે તારા મામાનો પુત્ર આ=કતકશેખર ભાઈ છે. તત્સમીપે પ્રાપ્ત થયા=રાજા વગેરે સર્વ કનકશેખરની પાસે પ્રાપ્ત થયા. કનકશેખર વડે પિતાનું પાદપતન કરાયું, પિતા વડે આલિંગન અપાયું અને મારા વડે ઉચિત પ્રતિપત્તિ કરાઈ=સ્વાગત કરાયું, મહાઆનંદના વિમર્દથી=મોટા મહોત્સવપૂર્વક, નગરમાં પ્રવેશ કરાયો. અને પિતા વડે અને માતા વડે કતકશેખર કહેવાયો, શું કહેવાયો તે ‘થા'થી બતાવે છે – હે કુમાર ! સુંદર અનુષ્ઠાન કરાયું. જે કારણથી પોતાના મુખના કમળના દર્શનથી મારા મનોરથોને પણ અગમ્ય એવો મહાન ચિત્તનો આનંદ કરાવાયો, તે કારણથી આ પણ રાજ્ય કુમારના કતકશેખરના, પિતાનું જ છે, તેથી અહીં આ રાજ્યમાં, રહેતા એવા કુમાર વડે વિકલ્પ કરવો જોઈએ નહીં અર્થાત્ આ મારું રાજય નથી એ પ્રમાણે વિકલ્પ કરવો જોઈએ નહીં. પિતા અને માતાનું વચન કનકશેખર વડે સ્વીકારાયું, પિતા વડે મારા ભવનથી નજીક જ કમકશેખરને મહાપ્રાસાદ અપાયો ત્યાં-આવાસમાં, આ=કતકશેખર રહ્યો. આનો કનકશેખરનો, મારી સાથે સ્નેહભાવ થયો. વિશ્ર્વાસપેદા થયો. અચદા એકાંતમાં મારા વડે આ પુછાયોકકતકશેખર પુછાયો. શું પુછાયો તે
કુતથી કહે છે – મારા વડે ખરેખર સંભળાયું છે કે પિતાના અપમાનના અભિમાનથી તારા વડે અહીં આગમન થયું છે. તેથી પિતા વડે કેવા પ્રકારનું તારું અપમાન કરાયું, એ પ્રકારે હું સાંભળવા ઈચ્છું છું. કનકશેખર વડે કહેવાયું, સાંભળ.
दत्तसाधूपदेशेन श्रावकधर्मग्रहणम् શ્લોક :
तातेन चूतमञ्जर्या, जनन्याऽत्यन्तलालितः । कुशावर्तपुरे तावदहमासं कुमारकः ।।१।।
દત્તસાધુના ઉપદેશથી શ્રાવકધર્મનું ગ્રહણ શ્લોકાર્ચ -
પિતા વડે અને ચૂતમંજરી નામની માતા વડે અત્યંત લાલિત, કુશાવર્ત નગરમાં કુમાર એવો હું હતો. II૧II
બ્લોક :
अन्यदा मित्रवृन्देन, युक्तः केलिपरायणः । गतः शमावहं नाम, काननं नन्दनोपमम् ।।२।।