________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૦૩ કહે છે. વૃદ્ધો કહે છે કે પૂર્વમાં સુંદર ન હોય અને પાછળથી પણ સુંદર થાય છે તે સુંદર જ છે. તેથી પાછળથી પણ મનીષી તુલ્ય થવાનો તારો પરિણામ થયો તેથી તું પણ સુંદર જ છે. II૧ળા શ્લોક :
ततो मदनकन्दली प्रत्याहसारं च सुकुमारं च, देवि! काञ्चनपद्मवत् ।
तावकीनमिदं चित्तं, येनाङ्गीकृतमीदृशम् ।।१८।। શ્લોકાર્ચ -
ત્યારપછી=મધ્યમબુદ્ધિને કહ્યા પછી, મદનકંદલી પ્રતિ રાજા કહે છે, હે દેવી ! સાર, સુકુમાર, સુવર્ણના કમળ જેવું તારું આ ચિત્ત છે જે કારણથી આ પ્રકારનું સ્વીકાર કરાયું.
મનીષીને જોઈને તમે પણ મનીષીના તુલ્ય થવાનું જે ચિત્તે થયું છે તે સારરૂપ છે, અત્યંત સુકુમાર છે અને સુવર્ણના કમળ જેવું રમ્ય છે. ll૧૮માં શ્લોક :
प्रसिद्धा धर्मपत्नीति, यत्त्वं लोकोपचारतः ।
मम तत्सत्यतां नीतं, कर्त्तव्येन त्वयाऽधुना ।।१९।। શ્લોકાર્થ :
મારી ધર્મપત્ની એ પ્રમાણે લોકોપચારથી જે તે પ્રસિદ્ધ છે તે તારા વડે હમણાં કર્તવ્યપણા વડે સત્યતાને પ્રાપ્ત કરાયું. II૧૯II શ્લોક :
तत्साधु विहितं देवि! नास्त्यत्र भवपञ्जरे ।
नियन्त्रितानां जीवानां, कर्तव्यमपरं वरम् ।।२०।। શ્લોકાર્ધ :
તે કારણથી તું સુંદર ધર્મપત્ની છે તે કારણથી, હે દેવી ! સુંદર કરાયું સંયમગ્રહણ કરવાનો અધ્યવસાય કર્યો તે સુંદર કરાયું, આ ભવમંજરમાં નિયંત્રિત જીવોને અપર શ્રેષ્ઠ કર્તવ્ય નથી= ભવઉચ્છેદના ઉપાયમાં યત્ન કરવાથી અન્ય શ્રેષ્ઠ કર્તવ્ય નથી. ||૨|
શ્લોક :
તથાयैरभ्युपगता दीक्षा, तानन्यानपि भावतः । स राजा मधुरैरेवं, वाक्यैरानन्द्य तोषतः ।।२१।।