________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૯૭
શ્લોકાર્ચ -
સંસારરૂપી સમુદ્રમાં પડેલા અનંત જીવોના સમૂહના તારક ! જે એક તીર્થકર છે તતુલ્ય જ સર્વ તીર્થકરો છે અને તે તીર્થકરોએ સંસારમાં પડેલા અનંતા જીવોને અત્યાર સુધી તાર્યા છે, તારે છે અને ભવિષ્યમાં તારશે તેવા ભગવાન તમે છો, ઘોર સંસારરૂપી અટવીમાં સાર્થવાહ ! તમને નમસ્કાર થાઓ. Il3oll શ્લોક :
अनन्तपरमानन्दपूर्णधामव्यवस्थितम् ।
भवन्तं भक्तितः साक्षात्पश्यतीह जनो जिन! ।।३१।। શ્લોકાર્ચ -
હે જિન ! અનંત પરમાનંદના પૂર્ણધામ રૂપે વ્યવસ્થિત એવા તમને ભક્તિથી અહીં. લોક સાક્ષાત્ જુએ છે. ll૧૧il શ્લોક -
स्तुवतस्तावकं बिम्बमन्यथा कथमीदृशः ।
પ્રમોતિયશ્ચિત્તે, નાતે અવનતિ ! / રૂાા શ્લોકાર્ચ -
હે ભુવનાતિગ ભગવાન ! અન્યથા તમને સાક્ષાત્ જોતા ન હોય તો તમારા બિંબની સ્તુતિ કરતા જીવોને ચિત્તમાં આવા પ્રકારનો પ્રમોદનો અતિશય કેવી રીતે થાય ? Il૩રા શ્લોક :
पापाणुजनितस्तावत्तापः संसारिचेतसाम् ।
यावत्तेषां सदानन्द! मध्ये नाथ! न वर्त्तसे ।।३३।। શ્લોકાર્ચ -
હે સદાનન્દ !, હે નાથ !, જ્યાં સુધી તેઓના મધ્યમાં સંસારી જીવોના ચિત્તના મધ્યમાં, તમે વર્તતા નથી, ત્યાં સુધી સંસારી જીવોના ચિત્તના મધ્યમાં પાપજનિત તાપ વર્તે છે.
જેઓના ચિત્તમાં સદા આનંદવાળા એવા ભગવાન વર્તે છે તેઓ શ્રાવક હોય તોપણ ભગવાન તુલ્ય થવાના અત્યંત અર્થી હોવાથી તેના પ્રબળ ઉપાયભૂત ભાવસાધુનું સ્વરૂપ સદા ભાવન કરીને ભાવસાધુતુલ્ય થવાની શક્તિનો સંચય કરતા હોય છે તેથી તેઓના ચિત્તમાં પાપરૂપી અણુથી જનિત કષાયોનો તાપ ક્યારેય વર્તતો નથી. ૩૩