________________
૨૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના શ્લોકાર્ચ -
તે કારણથી અહીં=સ્પર્શનના વિષયમાં, અમારા પ્રયોજનમાં કાલવિલંબન યુક્ત છે. અહીંસ્પર્શનના વિષયના સ્વીકારવામાં, એક પક્ષનું નિક્ષેપ કરવા માટે ઘટતો નથી જ. II૧૪૩ શ્લોક :
एषा च जायते बुद्धिर्या तेषां कर्मपद्धतिः । तत्संकाशा नृणां यस्माद्, बुद्धिः कर्मानुसारिणी ।।१४४।।
શ્લોકાર્ય :
અને જે આ બુદ્ધિ થાય છે, તેઓની કર્મપદ્ધતિ તેના જેવી છે=બુદ્ધિને અનુરૂપ કર્મોનો વિપાક વર્તે છે જે કારણથી મનુષ્યોની બુદ્ધિ કર્માનુસારિણી છે. ll૧૪૪ll શ્લોક :
ततस्ते स्पर्शनाक्षस्य, मन्यन्ते सुखहेतुताम् ।
अनुकूले च वर्तन्ते, किन्तु नात्यन्तलोलुपाः ।।१४५।। શ્લોકાર્ધ :
તેથી=બુદ્ધિકર્માનુસારિણી છે તેથી, તે મધ્યમબુદ્ધિવાળા જીવો, સાર્શન ઈન્દ્રિયને સુખની હેતુતાને માને છે અને અનુકૂલમાં સ્પર્શનને અનુકૂલમાં વર્તે છે પરંતુ અત્યંતલોલુપ નથી. /૧૪૫ll શ્લોક :
ततो लोकविरुद्धानि, नाचरन्ति कदाचन ।
स्पर्शनेन्द्रियलौल्येन, नापायान् प्राप्नुवन्त्यतः ।।१४६।। શ્લોકાર્ચ -
તેથી=મધ્યમબુદ્ધિ જીવો સ્પર્શનમાં અત્યંતલોલુપ નથી તેથી, ક્યારેય લોકવિરુદ્ધ આચરતા નથી=સ્પર્શનેન્દ્રિય સંબંધી લોકવિરુદ્ધ કૃત્ય કરતા નથી. આથી=સ્પર્શનેન્દ્રિયની લોકવિરુદ્ધ આચરણા કરતા નથી આથી, સ્પર્શનેન્દ્રિયના લોલ્યથી અનર્થોને પ્રાપ્ત કરતા નથી. ll૧૪૬ll
શ્લોક :
विचक्षणोक्तं बुध्यन्ते, विशेषं वचनस्य ते । अदृष्टदुःखास्तद्वाक्यं, केवलं नाचरन्ति भोः! ।।१४७।।