________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૪૯
ततो राजा मन्त्रिणं प्रत्याह-सखे! पापयोरनयोरमर्दितयोः कीदृशी ममाद्यापि शत्रुमर्दनता ? ततो न युक्तं यद्यपि भगवत्समीपस्थैरेवंविधं जल्पितुं, तथाऽपि 'दुष्टनिग्रहो राज्ञां धर्म' इति कृत्वेदमभिधीयते तदाकर्णयत्वार्यः, सुबुद्धिनाऽभिहितं समादिशतु देवः, राज्ञाऽभिहितं- आदिष्टमेतत्तावद्भगवता यथैते स्पर्शनाकुशलमाले अनेन पुरुषेण सह यास्यतः, ततो नेदानीं तावदेते वधमर्हतः, केवलं समाज्ञापय त्वमेते यथा मद्विषयान्निर्गत्य युवाभ्यां दूरतोऽपि दूरं गन्तव्यं, मृतेऽप्यस्मिन् पुरुषे नास्माकीनविषये प्रवेष्टव्यं इतरथा युवयोरस्माभिः शारीरो दण्डः करिष्यते, अथैवमप्यादिष्टे पुनरेते अस्मद्विषये प्रविशेतां, ततो भवता निर्विचारं लोहयन्त्रेण पीडनीये, एवमतिदुष्टयोरारटतोरप्यनयोरुपरि षदपि दया विधेया । सुबुद्धिना चिन्तितं - अहो देवस्यानयोरुपर्यावेगातिशयः यतोऽस्य तद्वशेन विस्मृतं तदपि 'हिंस्त्रकर्मणि न भवन्तं योक्ष्ये' इति मद्गोचरं वरप्रदानं भवतु तथापीदमेव प्रतिबोधकारणं भगवन्तः कल्पयिष्यन्ति मम त्वाज्ञाप्रतिपत्तिरेव ज्यायसीति विचिन्त्याभिहितमनेन - यदाज्ञापयति देवः । ततः प्रवृत्तोऽसौ तयोराज्ञापनार्थम् । सूरिणाऽभिहितं महाराज! अलमनयोरेवं ज्ञापनेन, न खल्वेतयोरयमुन्मूलनोपायो, यतोऽन्तरङ्गलोकजातीये एते स्पर्शानाकुशलमाले, अन्तरङ्गलोकेषु च न प्रभवन्ति लोहयन्त्रादीनि, अगम्यरूपा हि ते बाह्यशस्त्राणाम् ।
અકુશલમાલા અને સ્પર્શનના નિગ્રહની આજ્ઞા
નૃપતિ વડે કહેવાયું, ભગવંત ! શું આ બેનો અમારા બેના વિષયમાં=મંત્રી અને રાજાના વિષયમાં, પણ પ્રભાવ છે ? ભગવાન કહે છે, અત્યંત છે. તેથી રાજા મંત્રી પ્રત્યે કહે છે. હે મિત્ર ! અમર્દિત એવા આ બે પાપી હોતે છતે મારી હજી પણ શત્રુમર્દનતા કેવી ? અર્થાત્ શત્રુમર્દનતા નથી. તેથી જો કે ભગવાનના સમીપમાં રહેલા એવા મારા વડે આ પ્રમાણે કહેવું યુક્ત નથી તોપણ દુષ્ટનો નિગ્રહ ક૨વો રાજાનો ધર્મ છે. એથી કરીને આ કહેવાય છે. હે આર્ય ! તે સાંભળો=સુબુદ્ધિમંત્રી તે તું સાંભળ, સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! આજ્ઞા કરો. રાજા વડે કહેવાયું – ભગવાન વડે=આચાર્ય વડે, આ કહેવાયું, જે આ પ્રમાણે – આ સ્પર્શન અને અકુશલમાલા આ પુરુષની સાથે જશે. તેથી હમણાં આ બંને=અકુશલમાલા અને સ્પર્શન વધતે યોગ્ય નથી. કેવલ તું આ બંનેને આજ્ઞા કર, જે પ્રમાણે મારા વિષયથી=મારા રાજ્યથી નીકળીને, તમે બંનેએ=સ્પર્શન અને અકુશલમાલા બંનેએ, દૂરથી પણ દૂર જવું જોઈએ. આ પુરુષ મરે છતે પણ અમારા રાજ્યમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. ઇતરથા=આ પુરુષ મરે છતે સ્પર્શન અને અકુશલમાલા તમે બંને જો અમારા રાજ્યમાં પ્રવેશ કરશો તો, તમારા બંનેને અમારા વડે શારીરિક દંડ કરાશે. હવે આ રીતે પણ આદિષ્ટ વળી આ બે=મે કહ્યું એ પ્રમાણે આદેશ કરાયેલાં એવાં સ્પર્શન અને અકુશલમાલા, અમારા વિષયમાં=અમારા રાજ્યમાં, પ્રવેશ કરે, તો તારા વડે વિચાર્યા વગર લોહયંત્રથી પીડન કરવું જોઈએ. આ રીતે રડતાં પણ અતિદુષ્ટ એવાં આ બંને પર થોડી પણ દયા કરવી જોઈએ નહીં. સુબુદ્ધિ વડે વિચારાયું – અહો દેવનો=રાજાતો, આ બંને ઉપર=