________________
૨૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આચાર્ય દ્વારા શબુમર્દનરાજાને મનીષીના પરિચયનું સ્થન રાજા વડે કહેવાયું – હે ભગવંત ! અનેક યુદ્ધના સંઘટ્ટમાં તિબૂઢસાહસવાળા પણ એવા અનેક અનેક યુદ્ધોમાં મહાપરાક્રમ કરનારા એવા પણ મને, આ અપ્રમાદયંત્ર તમારા વચનથી સંભળાતું પણ દૂર અનુષ્ઠયપણું હોવાને કારણે=આચરવું દુષ્કરપણું હોવાને કારણે, મનના પ્રકંપને ઉત્પાદન કરે છે. મારું મન તે ગ્રહણ કરવામાં ક્ષભિત થાય છે. વળી, આ મહાત્મા કોણ છે ? ક્યાંતો છે ? જેના વડે આ મહારાજ્યની જેમ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સ્વીકાર કરાયું, ભગવાન વડે કહેવાયું – હે મહારાજ ! મનીષી નામનો આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વસનારો છે. રાજા વડે વિચારાયું – અરે જ્યારે આ પાપી પુરુષ બાલ મારા વડે મારવા માટે આદેશ કરાયો ત્યારે લોકો વડે સ્તુતિ કરાતો મનીષી મારા વડે સંભળાયો હતો. શું સંભળાયું હતું તે “યહુતથી બતાવે છે. એક જ પિતાથી થયેલા આ બેનો આટલો વિશેષ છે આનું બાલનું આ ચેષ્ટિત કરાયું અને તે તેવા પ્રકારનો મનીષી મહાત્મા છે, તે જ આ મનીષી પ્રાયઃ હશે અથવા ભગવાનને જ વિશેષથી પૂછું. એ પ્રમાણે વિચારીને આના વડે=રાજા વડે, કહેવાયું, હે ભદંત ! આ નગરમાં આવાં કોણ માતાપિતા છે, કોણ જ્ઞાતિઓ છે, ભગવાન કહે છે, આ ક્ષિતિપ્રતિષ્ઠતનગરનો ભોક્તા કર્મવિલાસ નામનો મહારાજા છે, તે આનો જનક છે, તેની જ અગ્રમહિષી શુભસંદરી નામની દેવી છે. તે માતા છે, તેની જ=કર્મવિલાસરાજાની જ, આ અકુશલમાલા ભાય છે. અને આ પુરુષ બાલ નામનો પુત્ર છે. અને જે આ મનીષી પાસે રહેલો પુરુષ છે તે પણ તેના જ=કર્મવિલાસરાજાના જ, સામાન્યરૂપા સ્ત્રીનો પુત્ર મધ્યમબુદ્ધિ કહેવાય છે. આટલું જ અહીં કુટુંબ છે. શેષજ્ઞાતિઓ દેશાંતરમાં છે. આથી તેની વાર્તા વડે શું?=અન્ય કુટુંબીઓની વાર્તા વડે શું? અર્થાત્ આ ત્રણ ભાઈઓના અન્ય ઘણા કુટુંબીઓ છે. પરંતુ વર્તમાનમાં મનુષ્યનગરમાં નથી. પરંતુ અન્ય એકેન્દ્રિય આદિ ભવોમાં છે. આથી તેમની વિચારણાથી શું? રાજા કહે છે – શું આ નગરનો કર્મવિલાસરાજા ભોક્તા છે. વળી, હું નહીં ? ભગવાન કહે છે. અત્યંત=અત્યંત નથી. રાજા કહે છે, કેવી રીતે ? અર્થાત્ કેવી રીતે હું રાજા નથી. ભગવાન કહે છે, સાંભળ.
कर्मविलासस्य सत्यनृपत्वम् શ્લોક -
यतस्तदाज्ञां सर्वेऽपि, भीतिकम्पितमानसाः । एते नागरिका नैव, लङ्घयन्ति कदाचन ।।१।।
કર્મવિલાસરાજાનું સાચું રાજાપણું શ્લોકાર્ધ :
જે કારણથી તેની આજ્ઞાને કર્મવિલાસની આજ્ઞાને ભીતિથી કંપિતમાનસવાળા સર્વપણ આ નાગરિકો ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. III