________________
૨૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મહોપકર્તા છે=મહાન ઉપકારી છે. સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! કેવી રીતે ? રાજા કહે છે – સાંભળ=મંત્રીને કહે છે. જે કારણથી ભગવાન વડે ઉપદેશ કરાયેલું તે અપ્રમાદયંત્ર હોતે છતે તેની દુરનુષ્ક્રયતાનું આલોચન કરતા મને-તે અપ્રમાદયંત્ર મારાથી ધારણ થઈ શકે તેમ નથી એમ વિચારતા મને, મોટા સમરમાં કાયરપુરુષની જેમ ચિત્તમાં સમાકુલતા પ્રાદુર્ભત થઈ=કઈ રીતે હું શત્રુનો નાશ કરી શકીશ એ પ્રકારની ચિંતાથી વ્યાકુળતા પ્રાપ્ત થઈ. ત્યારપછી તે અવસરમાં ભગવાન પાસે ગૃહસ્થ ધર્મની યાચના કરતા આ મહાત્મા વડે તથ્રહણની બુદ્ધિના ઉત્પાદકપણાથીeગૃહસ્થ ધર્મના ગ્રહણની બુદ્ધિના ઉત્પાદકપણાથી, સમાપ્પાસન કરાયો. જે કારણથી ગૃહસ્થ ધર્મના અંગીકારથી પણ મને ચિત્તથી મહાન અવખંભ થયો=અત્યંત આનંદ થયો, તેથી મારો આ જ મહાન ઉપકારક છે મધ્યમબુદ્ધિ મહાન ઉપકારક છે. સુબુદ્ધિ વડે રાજાને કહેવાયું – હે દેવ ! યથાર્થ નામવાળો=જેવા એના ગુણો છે તેવા નામવાળો, મધ્યમબુદ્ધિ આ છે. સમાનશીલ અને વ્યસનમાં મિત્રતા છે એ પ્રમાણે લોકપ્રવાદ છે=સમાન સ્વભાવવાળો અને આપત્તિઓમાં મારી સાથે સમાન રીતે વર્તતો હોય તે મિત્ર છે એ પ્રકારનો લોકપ્રવાદ છે. તેથી સમાનશીલપણાને કારણે=રાજાની સાથે સમાન સ્વભાવપણાને કારણે આને=મધ્યમબુદ્ધિને, મધ્યમજીવોનું સમાધ્વાસન યુક્ત જ છે. રાજા વડે વિચારાયું – અરે ! મને આ મિથ્યાભિમાન ચિત્તમાં આટલો કાળ હતું, ખરેખર રાજાપણાથી હું પુરુષોત્તમ છું હમણાં સુબુદ્ધિ વડે અર્થાપતિ દ્વારા=પ્રસ્તુત કથાથી પ્રાપ્ત થતા અર્થ દ્વારા, હું મધ્યમજનના લેખમાં ગણાયો મધ્યમપુરુષોના સમુદાયમાં ગણાયો. તેથી મિથ્યાભિમાની એવા મને ધિક્કાર થાઓ અથવા આ વસ્તુસ્થિતિ છે. અહીં મારા વડે વિષાદ કરાવો જોઈએ નહીં-હું મધ્યમજત તુલ્ય છું છતાં રાજા થયો તેથી હું પુરુષોત્તમ છું તે પ્રકારનું જે મને અભિમાન થયું તેને ધિક્કાર થાઓ અથવા આ વસ્તુસ્થિતિ છે તેમાં મારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્લોક -
તથાદિगजेन्द्रस्तावदाभाति, शूरः सन्त्रासकारकः ।
यावद्भासुरदंष्ट्राग्रो, न सिंह उपलभ्यते ।।१।। શ્લોકાર્ચ - કેમ વિષાદ કરવો જોઈએ નહીં? તે તથાહિથી કહે છે –
ત્યાં સુધી ગજેન્દ્રો શૂરવીર સત્રાસકારક ભાષે છે જ્યાં સુધી ભાસુરદાઢાવાળો સિંહ ઉપલબ્ધ થતો નથી. III
બ્લોક :
यदा सिंहस्य गन्धोऽपि, स्यादाघ्रातः करेणुना । जायते कम्पमानोऽसौ, तदाऽहो कातरः करी ।।२।।