________________
૨૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ऽप्येवमतिगौरवमारोपयितुमर्हति देवः, अस्याः संपादने केऽत्र वयम् ? उचित एव देवः खल्वेवंविधकल्याणपरम्परायाः, नैव हि निर्मलाम्बरतले निशि प्रकाशमाना रुचिरा नक्षत्रपद्धतिः कस्यचिदसम्भावनीयेत्याश्चर्यबुद्धिं जनयति । मनीषिणाऽभिहितं-महाराज! भगवति सप्रसादे कियतीयमद्यापि भवतः कल्याणपरम्परा? भाविदिनश्रीसम्बन्धस्येव गगनतलस्यारुणोद्योतकल्पो हि भवतो भविष्यत्केवलालोकसचिवपरमपदानन्तानन्दसन्दोहसम्बन्धस्य प्राथमकल्पिकः खल्वेष सम्यग्दर्शनजनितः प्रमोदः । नृपतिरुवाचनाथ! महाप्रसादः, कोऽत्र सन्देहः? किं न संपद्यते युष्मदनुचराणाम् ? ततो मन्त्रिणं प्रत्याह-सखे! पश्य-अमीषामद्यदिनप्रबुद्धानामपि विवेकातिशयः । सुबुद्धिरुवाच-देव! किमत्र चित्रम् ? मनीषिणः खल्वेते यथार्थमभिधीयन्ते, प्रबुद्धा एव ह्येवंविधपुरुषा जायन्ते, गुरवः केवलमीदृशां प्रतिबोधे निमित्तमात्रं મનિ !
સુબુદ્ધિ કહે છે – હે દેવ ! આ પ્રમાણે ન કહો, કહો. હે દેવ ! ખરેખર પુણ્યના પ્રાગભારતે આધીન જીવિતવ્ય છે જેને એવા આ કિંકરજતમાં પણ આ પ્રમાણે અતિગૌરવ આરોપિત કરવું દેવને યોગ્ય નથી. આના સંપાદનમાં આ કલ્યાણની પરંપરાના સંપાદનમાં અહીં અમે શું છીએ ? દેવ ખરેખર આવા પ્રકારની કલ્યાણની પરંપરાને ઉચિત જ છે. નિર્મલ અખરતલમાં રાત્રે પ્રકાશમાન સુંદર નક્ષત્રની પદ્ધતિ કોઈને અસંભાવનીય છે એ પ્રકારે આશ્ચર્યબુદ્ધિને ઉત્પન્ન કરતી નથી=ાત્રિમાં આકાશમાં નક્ષત્રની પદ્ધતિ કોઈને આશ્ચર્ય પેદા કરાવતી નથી. તેમ રાજામાં ધર્મપ્રાપ્તિ પૂર્વે પણ અંધકાર જેવા કાળમાં પણ ઘણા ગુણો હતા તેથી જ આ પ્રકારની કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થઈ છે તેથી આશ્ચર્યકારી કોઈ નથી એ પ્રકારના મંત્રીનો આશય છે. મનીષી વડે કહેવાયું – હે મહારાજ ! સપ્રસાદવાળા ભગવાન હોતે છતે=પ્રસ્તુત પ્રબોધવરતિ આચાર્ય તમારા પ્રત્યે પ્રસાદવાળા હોતે છતે, આજે પણ તમારી આ કલ્યાણની પરંપરા કેટલી છે ?=કેટલા પ્રમાણવાળી છે ? તમને ભવિષ્યમાં થનાર કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી યુક્ત પરમપદના આનંદના સમૂહ સંબંધવાળો ભાવિદિનના લક્ષ્મીના સંબંધવાળા ગગનતલના અરુણોદય જેવો પ્રાથમકલ્પિક એવો આ સમ્યગ્દર્શન જતિત તમારો પ્રમોદ છે=મનીષી રાજાને કહે છે કે હે મહારાજા ! તમને જે વર્તમાનમાં આનંદ છે તે પૂર્વમાં રાત્રિનો અંધકાર હતો તે દૂર થવાથી અરુણોદય જેવો છે અને તેના કારણે જ તમને વર્તમાનમાં આનંદ વર્તે છે. પ્રસ્તુતઃ આગળમાં આ મહાત્માની કૃપાથી તમને કેવલજ્ઞાનથી યુક્ત પરમપદનો આનંદ પેદા થશે એના સાથે સંબંધવાળો સૂર્યોદય જેવો સમ્યગ્દર્શન જનિત આનંદ છે. રાજા કહે છે – હે નાથ ! મહાપ્રસાદ, આમાં શું સંદેહ છે ?=તમે કહ્યું તેમાં કોઈ સંદેહ નથી, તમારા અનુચરોને શું પ્રાપ્ત ન થાય? તેથી મંત્રીને કહે છે – હે મિત્ર ! આજના દિવસે પ્રબોધ પામેલા પણ આમના=મનીષીના વિવેકનો, અતિશય જો. સુબુદ્ધિમંત્રી કહે છે. હે દેવ ! આમાં મનીષીના વચનમાં, શું આશ્ચર્ય છે?= તેના વચનમાં જે વિવેકનો અતિશય છે તે આશ્ચર્યકારી નથી. કેમ આશ્ચર્યકારી નથી ? તેથી કહે છે – આ મનીષી ખરેખર યથાર્થને કહે છે=બુદ્ધિમાન પુરુષ ખરેખર જેવી વસ્તુસ્થિતિ હોય તેવી