________________
૨૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ हेतुभावं भजन्ते, नैकः क्वचित्कस्यचित्कारणं, तथापि विवक्षयैकस्यापि कारणत्वं वक्तुं शक्यत इति, तन्निजविलसितमुद्यानमस्माभिर्नानाविधभावनिबन्धनमभिधीयत इति ।
નિજવિલસિત ઉધાનનું માહાભ્ય સુબુદ્ધિમંત્રી કહે છે – હે દેવ ! તે પ્રમાણે દેવ વડે જે કહેવાયું. જે આ પ્રમાણે – તે જિનમંદિરમાં પ્રવિષ્ટ માત્ર એવા મને ક્ષણમાત્રથી અચિંત્ય ગુણસંદોહનો આવિર્ભાવ થયો તે આશ્ચર્ય નથી. દિ=જે કારણથી, પ્રમોદશેખર તે ભવ કહેવાય છે. તે તે ભવન, તેવા પ્રકારના ગુણકલાપનો હેતુ છે= યોગ્ય જીવોને ચિત્તમાં પ્રમોદ કરે એવા ગુણકલાપનો હેતુ છે, જે વળી, કહેવાયું=રાજા વડે કહેવાયું, શું કહેવાયું? તે “કથા'થી બતાવે છે – તેને તે બાલને, આવા પ્રકારની સામગ્રીમાં પણ આવા પ્રકારનો અધ્યવસાય કેમ થયો ? એ પ્રકારની શંકામાં ભગવાન વડે=આચાર્ય વડે, કારણ નિવેદિત કરાયું છે. વળી, તેના સંબંધી નામ જ=બાલ સંબંધી એ પ્રકારનું નામ જ, વિચારાતું સંદેહને દૂર કરે છે. જે કારણથી કંઈ આશ્ચર્ય નથી. કેમ આશ્ચર્ય નથી ? એથી કહે છે જે કારણથી બાળ જીવો પાપના નિવારણની સામગ્રીના સદ્ભાવમાં પણ પાપઆચરણામાં પ્રવર્તે છે.
બાલ જીવોમાં તે પ્રકારનાં જ ક્લિષ્ટકર્મો વર્તે છે જેથી તેવા પ્રકારનાં કર્મોને અનુસરનારી બુદ્ધિ પાપનિવારણની સામગ્રીના સદ્ભાવમાં પણ અર્થાત્ સદ્ગુરુઆદિના ઉત્તમ આલંબનોમાં પણ પાપઆચરણમાં પ્રવર્તે છે.
અને બીજું, ભગવાનના ઉપદેશથી જ હું મંત્રી, આ પ્રમાણે તર્ક કરું છું, શું તર્ક કરે છે? તે યહુતથી બતાવે છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવાદિની અપેક્ષાએ પ્રાણીઓ શુભ-અશુભ પરિણામવાળા થાય છે, તે કારણથી આ બાબતે ક્ષેત્રજલિત આ અશુભ પરિણામ છે બાલને આટલી મેદની વચ્ચે મદનકંદલીને ગ્રહણ કરવાનો જે અશુભ પરિણામ થયો તે ક્ષેત્રજનિત છે. રાજા કહે છે – ખરેખર ગુણનો આકર તે જૈતભવન છે, તે જ ત્યાં ક્ષેત્ર છે તેથી કેવી રીતે તેના અશુભ પરિણામનો હેતુ બાળના અશુભ પરિણામનો હેતુ, થાય ? સુબુદ્ધિ કહે છે – હે દેવ ! આ મંદિરનો દોષ નથી. તો શું છે ? તેથી કહે છે તે ઉદ્યાનનો દોષ છે. તે ઉધાન ત્યાં=બાલની ચેણમાં, સામાવ્યક્ષેત્ર છે=બાલ અને અન્ય જીવો સર્વ સાધારણક્ષેત્ર છે અને તે=ઉદ્યાન, તે બાલને તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ છે–સર્વલોકોના દેખતાં નિર્લજ્જ થઈને મદનકંદલીને ગ્રહણ કરવા તત્પર થયો તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ તે ઉધાત છે. રાજા કહે છે – જો દુષ્ટ અધ્યવસાયનો હેતુ તે ઉધાન છે તો અમને કયા કારણથી ક્લિષ્ટ ચિત્તનું કારણ તે ઉદ્યાન થયું નહીં. સુબુદ્ધિ વડે કહેવાયું – હે દેવ ! વિચિત્ર સ્વભાવવાળું તે કાનન=ઉદ્યાન, પુરુષાદિની અપેક્ષા રાખીને અનેક આકારના કાર્યનું કારક થાય છે–તે ઉદ્યાનનું ક્ષેત્ર વિચિત્ર સ્વભાવવાળું છે તેથી બાલ, મનીષી અને મધ્યમઆદિરૂપ પુરુષના ભેદની અપેક્ષા રાખીને અનેક પ્રકારનાં કાર્યોનો કરનાર તે ક્ષેત્રરૂપ ઉદ્યાન થાય છે. આથી જ=પુરુષાદિની અપેક્ષા રાખીને અનેક કાર્યના કરવાવાળું ઉદ્યાન છે આથી જ, તે=ઉદ્યાન, નિજવિલસિત તે પ્રકારના નામથી કહેવાય છે. તિજવિલસિત અર્થનો તાત્પર્ય સ્પષ્ટ કરે છે, જીવોના સવિશેષ સહકારી કારણના કલાપથી