________________
૨૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જ્યારે સિંહની ગંધ પણ હાથી વડે આઘાત થાય છે. ત્યારે આ કાયર એવો હાથી કંપમાન થાય છે. શા
શ્લોક :
मनीषिणमपेक्ष्याऽतो, युक्ता मे मध्यरूपता । अयं सिंहो महाभागो, मादृशाः करिकातराः ।।३।।
શ્લોકાર્ય :
મનીષીની અપેક્ષાએ મારી મધ્યમરૂપતા યુક્ત છે. આ મહાભાગ=મનીષીરૂપી ભાગ્યશાળી, પુરુષ સિંહ છે, મારા જેવા કાયર હાથીઓ છે. ll3II શ્લોક :
तदत्र न विषादो मे, कर्तुं युक्तः प्रयोजने । यतो द्वितीयलेखाऽपि, मादृशैरतिदुर्लभा ।।४।।
શ્લોકાર્ધ :
તે કારણથી અહીં હું મધ્યમબુદ્ધિમાં ગણાયો તે કારણથી, આ વિષયમાં મારે વિષાદ કરવો યુક્ત નથી. જે કારણથી પ્રયોજન હોતે છતે અંતરંગ શત્રુના નાશનું પ્રયોજન હોતે છતે દ્વિતીયલેખા પણ મનીષીની અપેક્ષાએ બીજા મધ્યમબુદ્ધિ રૂપ સ્થાન પણ, મારા જેવાને અતિદુર્લભ છે. III શ્લોક -
તથાદિभवेत्सर्वोत्तमस्तावत्पुरुषो यदि पारयेत् ।
अशक्तो मध्यमोऽपि, स्यान जघन्यः कदाचन ।।५।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – જો પુરુષ સમર્થ હોય તો સર્વોતમ થાય, અશક્ત=સર્વોતમ થવા માટે અશક્ત એવો મધ્યમ પણ સર્વોતમ થાય, ક્યારેય જઘન્ય ન થાય. //પા.
શ્લોક :
मिथ्याभिमानो नैवायमेक एवाभवत्पुरा । किं तर्हि ? बहवोऽन्येऽपि, किं वा मे चिन्तया तया? ।।६।।