________________
૨૬૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
गुरुरुवाच
श्रुत्वा भागवती दीक्षां न कर्त्तुं शक्नुवन्ति ये ।
तेषां गृहस्थधर्मोऽसौ युक्त एव भवादृशाम् ।।१४।।
-
:
શ્લોકાર્થ :
ગુરુએ કહ્યું – ભાગવતી દીક્ષાને સાંભળીને જે કરવા માટે સમર્થ નથી, તારા જેવા તેઓને આ ગૃહસ્થધર્મ યુક્ત જ છે. ।।૧૪।।
શ્લોક ઃ
नृपतिरुवाच
મવત્ત! સ્વિરૂપોડયું, વૃત્તિધર્મોઽમિથીયતે? । સૂરિરાદ-મહારાન! સમાર્ણવ થ્યને ખ્।।
શ્લોકાર્થ રાજા કહે છે હે ભગવંત ! આ ગૃહસ્થધર્મ કેવા સ્વરૂપવાળો કહેવાય છે ? સૂરિ કહે છે. હે મહારાજ ! સાંભળો, કહેવાય છે. ૧૫]
ततो भगवता वर्णितं परमपदकल्याणपादपनिरुपहतबीजं सम्यग्दर्शनं, प्रतिपादितानि संसारतरुकन्दच्छेद(क)तया चिरेण, स्वर्गापवर्गमार्गसंसर्गकारीण्यणुव्रतगुणव्रतशिक्षापदानि । ततः सञ्जाततदावरणीयकर्मक्षयोपशमतया भावतः प्रादुर्भूतसम्यग्दर्शनदेशविरतिपरिणामेन शक्योऽयमस्मादृशामप्यनुष्ठातुं गृहस्थधर्म इति संचिन्त्य नरपतिनाऽभिहितं भदन्त ! क्रियतामेतद्दानेनास्माकमप्यनुग्रहः । भगवानाह - सुष्ठु क्रियते, ततो दत्तस्तयोर्द्वयोरपि विधिना गृहिधर्मो भगवता ।
ત્યારપછી ભગવાન વડે પરમપદના કલ્યાણના કારણ એવા કલ્પવૃક્ષનું નિરુપહત બીજ સમ્યગ્દર્શન બતાવાયું=પરમપદ મોક્ષ તેની પ્રાપ્તિનું કારણ એવી જે કલ્યાણની પરંપરા એ રૂપ કલ્પવૃક્ષ તેની નિષ્પત્તિનું નહીં હણાયેલું એવું જે બીજ તે સમ્યગ્દર્શન છે તેનું વર્ણન કરાયું.
આ સંસાર અત્યંત રૌદ્ર છે. તેનાથી ૫૨ અવસ્થા મુક્ત અવસ્થા છે જે અત્યંત સુંદર છે, તેની પ્રાપ્તિનો ઉપાય વીતરાગનું વચન છે. તેથી વીતરાગના વચનનું દૃઢ અવલંબન લઈને અરિહંત દેવની ઉપાસના કરવી જોઈએ. ભાવસાધુ જે રીતે મોહનો નાશ કરતા હોય એવા ગુણવાન ગુરુને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ અને તેની પ્રાપ્તિનો ઉચિત ઉપાય સર્વજ્ઞકથિત ધર્મ છે એવી સ્થિરબુદ્ધિ ધારણ કરવી જોઈએ. અને દેવગુરુ અને ધર્મ જ કયા સ્વરૂપે તત્ત્વ છે તેનું ભાવન કરીને સુદેવમાં સુદેવની બુદ્ધિ અને સુધર્મમાં સુધર્મની બુદ્ધિ ધારણ કરીને શક્તિ અનુસાર તે ધર્મની ઉપાસના કરવી તે સમ્યગ્દર્શન છે.