________________
૨૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ જશે અને ત્યાં કર્મપૂરક નામના ગ્રામમાં પ્રત્યાસન્ન ભૂમિભાગવાળા પંથમાં–માર્ગમાં, શ્રાંત થયેલો, પિપાસાવાળો=પાણીને પીવાની ઇચ્છાવાળો, દૂરથી જ મોટું તળાવ જોશે. ત્યારપછી સ્નાન કરવા અને પાણી પીવા માટે તેને અભિમુખ જશે અને આ બાજુ પૂર્વમાં જ ત્યાં તે તળાવ પાસે, ચંડાલ મિથુન, આવશે ત્યારપછી ચંડાલ તળાવના તટવર્તી વૃક્ષોના ગહનમાં પતત્રિગણતા પક્ષીગણના, મારણમાં તત્પર છતો ભટકશે. વળી, ચાંડાલી એકાંત છે એથી કરીને=અહીં કોઈ નથી એથી કરીને, સ્નાન માટે તળાવમાં ઊતરશે. ત્યારપછી તે તળાવમાં ઊતરે છતે ચાંડાલી તળાવમાં ઊતરે છતે, આ=બાલ તેના તીરનેeતે તળાવના તીરને, પ્રાપ્ત કરશે. ત્યારપછી આને=બાલને, જોઈને તે માતંગી=ચાંડાલી આ સ્પૃશ્યપુરુષ સરોવરના અવતરણના અપરાધને ઉદ્દેશીને મને કલહ કરશે, એ પ્રકારના ભયથી પાણીમાં ડૂબકી મારશે. પાખંડમાં કમળોના સમૂહમાં, છુપાયેલી રહેશે. આ પણ=બાલ પણ, મજ્જન માટે તળાવમાં ઊતરીને અનાભોગથી જ તેના સમીપે જશેeતે ચાંડાલી સ્ત્રી સમીપે જશે. તેની સાથે આશ્લેષ થશે. તેના અંગસ્પર્શનું વેદત કરશે. તેના ઉપર તે ચાંડાલી ઉપર, બાલને લામ્પત્ય થશે. તે=ચાંડાલી, પોતાના ચાંડાલભાવને કહેશે, તોપણ આકબાલ, તેના શરીરને બળાત્કારથી ગ્રહણ કરશે. તે=ચાંડાલી, હાહાર કરશે. તેને સાંભળીને પોતાની પત્નીના હાહારને સાંભળીને, કૂપિત થયેલો ચંડાલ દોડશે. આને=બાલને, તે પ્રકારે રહેલ જોઈને કોપાલથી અત્યંત પ્રજ્વલિત થશે. ધનુષદંડમાં તીરને સ્થાપન કરશે અને મારશે, અરે રે દુરાત્મન્ ! અધમ પુરુષ ! પુરુષ થા, તે પ્રમાણે બૂમ પાડીને તે ચાંડાલ કંપતા એવા આને એક પ્રહારથી હણશે. અને તે=બાલ, ત્યારે રૌદ્રધ્યાનથી અધ્યાસિત થયેલો છે એથી મરીને નરકમાં જશે. ત્યાંથી પણ નીકળીને ત્યારપછી કુયોનિમાં, વળી, તરકોમાં અનંતવાર જશે. આ પ્રમાણે દુખની પરંપરામાં પડેલો સંસારચક્રમાં અનંતકાળ રહેશે. રાજા વડે કહેવાયું – હે ભગવાન ! અતિદારુણ આ અકુશલમાલા અને સ્પર્શત છે. જેતા વશથી આ અનર્થો, આને=બાલને, પ્રાપ્ત થયા અને પ્રાપ્ત થશે, ભગવાન વડે કહેવાયું – હે મહારાજ ! આમાં=અકુશલમાલા અને સ્પર્શત અતિદારુણ છે એમાં, શું કહેવાય? આટલી દારુણતાથી સર્યું. સુબુદ્ધિ વડે કહેવાયું – હે ભગવંત ! શું આ સ્પર્શત અને અકુશલમાલા આ પુરુષને જ પ્રભાવવાળા છે=અનર્થ કરનારા છે. અથવા અન્ય પ્રાણીઓને પણ? ભગવાન કહે છે=આચાર્ય કહે છે. તે મહામાત્ય ! આ પુરુષમાં આ=સ્પર્શન અને અકુશલમાલા, કેવલ અભિવ્યક્તરૂપ છે પરમાર્થથી સર્વ સકર્મવાળા સંસારી પ્રાણીઓને, સમર્થ છે જ=અનર્થો કરે છે જ અર્થાત્ સ્પર્શત અને અકુશલમાલા અતર્યો કરે છે જ જે કારણથી યોગિની આ અકુશલમાલા છે અને યોગેશ્વર આ સ્પર્શત છે. યોગીઓની આવા પ્રકારની શક્તિ હોય છે=આગળ બતાવે છે એવા પ્રકારની શક્તિ હોય છે. જે પ્રમાણે ક્યાંક અભિવ્યક્તરૂપતા અને ક્યાંક અનાવિભૂતતા વર્તે છે.
अकुशलमालास्पर्शनयोर्निग्रहाज्ञा नृपतिनाऽभिहितं-भगवन्! अनयोः किमस्मद्गोचरोऽप्यस्ति प्रभावः? भगवानाह-बाढमस्ति,