________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૨૩ જે પ્રમાણે ઉત્કૃષ્ટ એવા મનુષ્યોનું આ ચરિત્ર મહાત્મા વડે ગ્લાધિત કરાયું, તે પ્રમાણે પોતાના આત્મામાં મને કંઈક અનુભવસિદ્ધ ભાસે છે. ll૧૩૫] બ્લોક :
मध्यमबुद्धिना चिन्तितंउत्कृष्टपुंसां यादृक्षा, गुरुणा वर्णिता गुणाः ।
एते गुणाः परं सर्वे, घटन्तेऽत्र मनीषिणि ।।१३६ ।। શ્લોકા :મધ્યમબુદ્ધિ વડે વિચારાયું – ઉત્કૃષ્ટપુરુષોના જેવા ગુણો ગુરુ વડે વર્ણન કરાયા એ સર્વ ગુણો આ મનીષીમાં અત્યંત ઘટે છે. ll૧૩૬ો.
मध्यमा नराः
શ્લોક :
गुरुरुवाचतदेवं तावदुत्कृष्टा, वर्णिताः पुरुषा मया । अधुना मध्यमानां यत्स्वरूपं तन्निबोधत ।।१३७ ।। मध्यमास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् । अवाप्य मानुषं जन्म, मध्यबुद्ध्याऽवधारितम् ।।१३८ ।।
મધ્યમપુરુષનું સ્વરૂપ શ્લોકાર્ચ -
ગુરુ કહે છે – આ પ્રકારે ઉત્કૃષ્ટપુરુષો મારા વડે વર્ણન કરાયા, હવે મધ્યમ જીવોનું જે સ્વરૂપ છે તેને સાંભળો. તે મનુષ્યો મધ્યમ જાણવા જેઓ વડે મનુષ્યજન્મ પામીને મધ્યમબુદ્ધિથી આ સ્પર્શનેન્દ્રિય અવધારણ કરાઈ,
સર્વથા સ્પર્શન સાર રૂપ છે તેમ પણ માનતા નથી, અને સર્વથા સ્પર્શનેન્દ્રિય ઠગનારી છે તેમ પણ માનતા નથી. પરંતુ કંઈક સ્પર્શનેન્દ્રિયમાં આસક્તિવાળા છે તો પણ તેમાં અત્યંત આસક્ત થઈને અનુચિત કરતા નથી. તે મધ્યમ જીવો છે. I૧૩૭-૧૩૮ શ્લોક :
स्पर्शनेन्द्रियसम्पाद्ये, ते सुखे गृद्धमानसाः । पण्डितैरनुशिष्टाश्च, दोलायन्ते स्वचेतसा ।।१३९।।