________________
૨૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ગરઓ કેવલ નામમાત્રથી તેઓનું કારણ છે ગુરઓ ઉપદેશાદિ આપે છે તે નિમિત્ત માત્રથી તેઓના કલ્યાણનું કારણ છે. જે કારણથી તે મનુષ્યો સ્વતઃ જ મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. ll૧૩૧ાા શ્લોક :
अन्येषामपि कुर्वन्ति, ते सन्मार्गावतारणम् ।
तद्वाक्यं ये प्रवर्त्तन्ते, विज्ञाय गुणकारकम् ।।१३२।। શ્લોકાર્ચ -
જેઓ ગુણનું કારણ એવું તેમનું વાક્ય જાણીને પ્રવર્તે છેઃઉત્કૃષ્ટપુરુષનું વાક્ય ગુણનું કારણ છે એમ જાણીને જેઓ પ્રવૃત્તિ કરે છે, એવા અન્ય જીવોને પણ તે મહાત્મા સન્માર્ગમાં અવતારણ કરે છે. ll૧૩રા. શ્લોક -
ये पुनर्न प्रपद्यन्ते, तद्वाक्यं बालिशा जनाः ।
तेषामनादरं कृत्वा, ते तिष्ठन्ति निराकुलाः ।।१३३ ।। શ્લોકાર્ચ -
જે વળી બાલિશ જીવો તેમના વાક્યને સ્વીકારતા નથી=ઉત્કૃષ્ટપુરુષના વચનને સ્વીકારતા નથી, તેઓનો અનાદર કરીને=બાલિશ જીવોની ઉપેક્ષા કરીને, તેઓ નિરાકુળ રહે છે. ll૧૩૩ શ્લોક :
प्रकृत्यैव भवन्त्येते, देवाचार्यतपस्विनाम् ।
पूजासत्कारकरणे, रतचित्ता महाधियः ।।१३४।। શ્લોકાર્ધ :
પ્રકૃતિથી જ આ જીવો-ઉત્કૃષ્ટ જીવો, દેવ, આચાર્ય અને તપસ્વીઓના પૂજા અને સત્કારના કરણમાં રતચિત્તવાળા, મહાનબુદ્ધિવાળા હોય છે. ll૧૩૪ll શ્લોક :
एवं भाषिणि च भगवति प्रबोधनरतिसूरौ मनीषिणा चिन्तितम् - उत्कृष्टानां यथैवेदं, श्लाघितं चरितं नृणाम् ।
तथानुभवसिद्धं मे किञ्चिदात्मनि भासते ।।१३५ ।। શ્લોકાર્ચ - અને આ પ્રમાણે ભગવાન પ્રબોધનરતિસૂરિ કહે છતે મનીષી વડે વિચારાયું –