________________
૨૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સાર્શનેન્દ્રિયથી સંપાધ સુખમાં વૃદ્ધમાનસવાળા એવા તેઓ-મધ્યમપુરુષો, અને પંડિતો વડે અનુશાસન કરાયેલા સ્વાચિત્તથી દોલાયમાન થાય છે.
સ્પર્શનેન્દ્રિય સુખાકારી છે તેમ પણ જણાય છે અને પંડિતપુરુષોનાં વચનો પણ કંઈક તત્ત્વને બતાવનારા છે તેમ જણાય છે તેથી પોતાના ચિત્તથી અનિર્ણાત અવસ્થાવાળા તેઓ રહે છે. ll૧૩લા શ્લોક :
चिन्तयन्ति निजे चित्ते, ते दोलायितबुद्धयः ।
विचित्ररूपे संसारे, किमत्र बत कुर्महे? ।।१४०।। શ્લોકાર્ચ -
દોલાયિત બુદ્ધિવાળા તેઓ વિચિત્રરૂપ સંસારમાં અહીં અમે શું કરીએ? એ પ્રમાણે નિજ ચિતમાં વિચારે છે. ll૧૪oll શ્લોક :
भोगानेके प्रशंसन्ति, रमन्ते सुखनिर्भराः ।
अन्ये शान्तान्तरात्मानो, निन्दन्ति विगतस्पृहाः ।।१४१।। શ્લોકાર્ચ -
એક પ્રકારના જીવો ભોગોની પ્રશંસા કરે છે. સુખથી નિર્ભર હદયવાળા ભોગોમાં રમે છે. અન્ય શાન્તાન્તરાત્માવાળા, વિગત પૃહાવાળા નિંદા કરે છે=ભોગોની નિંદા કરે છે. ll૧૪૧TI શ્લોક :
तदत्र कतरो मार्गो, मादृशामिह युज्यते? ।
न लक्षयामोऽन्तःचित्तं, सन्देहमवगाहते ।।१४२।। શ્લોકાર્ધ :
તે કારણથી એક પ્રકારના જીવો ભોગોથી આનંદ પામે છે અને અન્ય નિંદા કરે છે તે કારણથી, અહીં=ભોગના સ્વીકારના વિષયમાં, કયો માર્ગ મારા જેવાને અહીં ઘટે છે? એમ જાણતા નથી. અત્તરચિત સંદેહનું અવગાહન કરે છે. ll૧૪રા
શ્લોક :
तस्मात्कालविलम्बोऽत्र, युक्तोऽस्माकं प्रयोजने । नैवैकपक्षनिक्षेपो, विधातुमिह युज्यते ।।१४३।।