________________
૨૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવના શ્લોકાર્ચ -
વિચક્ષણ વડે કહેવાયેલ વચનનો વિશેષ તેઓ જાણે છે. અદષ્ટ દુઃખવાળા સ્પર્શનેન્દ્રિયજન્ય વિકારોનું દુઃખ છે એ પ્રકારનો જેઓને બોધ થયો નથી તેવા, મધ્યમબુદ્ધિવાળા જીવો, તેના વાક્યને વિચક્ષણ વડે કહેવાયેલા વાક્યને, કેવલ આચરતા નથી. ll૧૪૭ી. શ્લોક :
मैत्री बालिशलोकेन, कुर्वन्ति स्नेहनिर्भराम् ।
लभन्ते तद्विपाकेन, रौद्रां दुःखपरम्पराम् ।।१४८।। શ્લોકાર્ચ -
બાલિશલોકની સાથે અત્યંત સ્નેહયુક્ત શૈકીને કરે છે. તેના વિપાકથી=બાલિશ લોકોની સાથેની મૈત્રીના વિપાકથી, રૌદ્ર દુઃખપરંપરાને પામે છે. I/૧૪૮ll શ્લોક :
अवर्णवादं लोके च, प्राप्नुवन्ति न संशयः ।
संसर्गः पापलोकेन, सर्वानर्थकरो यतः ।।१४९।। શ્લોકાર્ચ -
અને લોકમાં અવર્ણવાદને પ્રાપ્ત કરે છે. જે કારણથી પાપલોકની સાથે સંસર્ગ સર્વ અનર્થને કરનાર છે, સંશય નથી. ૧૪૯ll શ્લોક :
यदा पुनः प्रपद्यन्ते, विदुषां वचनानि ते ।
आचरन्ति च विज्ञाय, तदीयां हितरूपताम् ।।१५०।। શ્લોકાર્ચ -
જ્યારે વળી વિદ્વાનપુરુષોનાં વચનોને તેઓ સ્વીકારે છે–મધ્યમબુદ્ધિ જીવો સ્વીકારે છે, અને તેઓનાં વચનોની હિતરૂપતાને જાણીને વિદ્વાનપુરુષોના વચન સંબંધી હિતરૂપતાને જાણીને, આચરે છે–તેમના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે. ll૧૫oll
શ્લોક :
तदा ते विगताबोधा, भवन्ति सुखिनो नराः । महापुरुषसम्पर्काल्लभन्ते मार्गमुत्तमम् ।।१५१।। युग्मम् ।।