________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
ત્યારે વિગત અબોધવાળા એવા તે નરો=અજ્ઞાન દૂર થયું છે જેમનું એવા તે મધ્યમબુદ્ધિ જીવો, મહાપુરુષના સંપર્કથી ઉત્તમમાર્ગને પ્રાપ્ત કરે છે. II૧૫૧||
શ્લોક ઃ
पण्डिता इव ते नित्यं, गुरुदेवतपस्विनाम् ।
बहुमानपराः सन्तः, कुर्वन्त्यर्चनवन्दनम् ।।१५२।।
શ્લોકાર્થ :
પંડિતોની જેમ બહુમાનવાળા છતાં તેઓ ગુરુ, દેવ, તપસ્વીઓના અર્ચન, વંદનને નિત્ય કરે છે. ૧૫૨।।
શ્લોક ઃ
तदिदमाचार्यायं वचनमाकर्ण्य मध्यमबुद्धिना चिन्तितम्
य एते सूरिणा प्रोक्ता, मध्यमानां गुणाऽगुणाः । स्वसंवेदनसंसिद्धास्ते ममापि स्वगोचरे । । १५३ ।।
૨૨૭
શ્લોકાર્થ :
તે આ આચાર્ય સંબંધી વચનને સાંભળીને મધ્યમબુદ્ધિ વડે વિચારાયું.
સૂરિ વડે મધ્યમ જીવોના જે આ ગુણો અને દોષો કહેવાયા તે મને પણ સ્વવિષયમાં સ્વસંવેદન
સંસિદ્ધ છે. II૧૫૩||
શ્લોક ઃ
मनीषिणा चिन्तितं
यदिदं सूरिणाऽऽदिष्टं, वचनैः सुपरिस्फुटैः ।
चरितं मध्यमानां तन्मदीये भ्रातरि स्थितम् ।।१५४ ।।
શ્લોકાર્થ :
મનીષી વડે વિચારાયું – જે આ સૂરિ વડે સુપરિસ્ફુટ વચનો વડે મધ્યમોનું ચરિત્ર આદિષ્ટ છે=કથિત છે. તે મારાભાઈમાં સ્થિત છે=રહેલું છે. II૧૫૪।।