________________
૧૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ત્યારપછી=આ રીતે બેઠા પછી, તે મંત્રી ત્યારે ત અર્થમાં અર્પિત માનસવાળો મધુર વાણીથી ભગવાનનાં સ્તોત્રોને આ પ્રમાણે બોલે છે. ll૨૭ll
सुबुद्धिकृता जिनस्तुतिः બ્લોક :
नमस्ते जगदानन्द! मोक्षमार्गविधायक! । जिनेन्द्र! विदिताशेषभावसद्भावनायक! ।।२८।।
સુબુદ્ધિ વડે કરાયેલ જિનસ્તુતિ શ્લોકાર્ચ -
હે જગતના આનંદ ! હે મોક્ષમાર્ગના વિધાયક ! હે ! જિનેન્દ્ર ! હે જાણ્યા છે અશેષભવોના સદ્ભાવના નાયક ! તમને નમસ્કાર કરું છું.
સુબુદ્ધિમંત્રી ભગવાનના પારમાર્થિક ગુણોને જાણનાર છે તેથી ભગવાનને વાસ્તવિક સ્વરૂપને સંબોધન કરતાં કહે છે. શાંતમુદ્રાવાળા ભગવાન જગતને શાંતમુદ્રાનો બોધ કરાવીને આનંદને દેનારા છે. કર્મોની કદર્થનાથી મુક્ત થવાના માર્ગને બતાવનારા છે. રાગ-દ્વેષથી પર એવા જિનો તેઓમાં ઇન્દ્રો જેવા છે અને જગતના અશેષભાવોને યથાર્થ જાણનારા ભગવાન છે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. એ પ્રકારે કહીને તે તે ગુણોથી ભગવાનને અભિમુખ પોતાનું માનસ કરે છે. ll૨૮ll શ્લોક :
प्रलीनाशेषसंसारविस्तार! परमेश्वर! ।
नमस्ते वाक्पथातीत! त्रिलोकनरशेखर! ।।२९।। શ્લોકાર્ધ :
વળી, સ્તુતિ કરતાં કહે છે – નાશ કર્યો છે સંપૂર્ણ સંસારનો વિસ્તાર એવા પરમ એશ્વર્યવાળા ! વાણીના પથથી અતીત ! અર્થાત્ વાણીથી જેમનું સ્વરૂપ ન કહી શકાય એવા ત્રણ લોકના મનુષ્યોમાં અગ્રેસર ! એવા તમને નમસ્કાર કરું છું. ll ll શ્લોક :
भवाब्धिपतितानन्तसत्त्वसंघाततारक! । घोरसंसारकान्तारसार्थवाह! नमोऽस्तु ते ।।३०।।