________________
૨૦૩
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - રાજા કહે છે. જો આ પ્રમાણે છે સર્વજ્ઞભાષિત ધર્મ સર્વપ્રકારના સુખનું કારણ છે તો, સર્વ સંસારી જીવો સર્વસુખના સાધન એવા તે ધર્મને કયા કારણથી કરતા નથી ? અથવા સુખની કામનાથી કેમ ક્લેશ પામે છે ? પિપII શ્લોક :
सूरिराहसुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम! ।
यतो जितेन्द्रियग्रामस्तं साधयति मानवः ।।५६।। શ્લોકાર્ચ -
સૂરિ કહે છે. સુખનો અભિલાષ સુકર છે, હે નૃપોતમ ! આ=ધર્મ, દુષ્કર છે. જે કારણથી જીત્યો છે ઈન્દ્રિયોનો સમૂહ જેણે એવો મનુષ્ય તેને સાધે છે=ધર્મને સાધે છે. આપવા. શ્લોક :
अनादिभवकान्तारे, प्राप्तानि परमं बलम् ।
दुर्मेधोभिर्न शक्यन्ते, जेतुं तानीन्द्रियाणि वै ।।५७।। શ્લોકાર્ધ :
અનાદિ ભવકાન્તારમાં અત્યંત બલને પ્રાપ્ત કરેલી તે ઈન્દ્રિયોને દુર્બુદ્ધિવાળા જીવો વડે જીતવી શક્ય નથી=સંસારી જીવોએ ઈન્દ્રિયોના વિષયો સેવી સેવીને દરેક ભવોમાં તેના સંસ્કારો અત્યંત પુષ્ટ કરેલા છે તેથી પરમ બલને પામેલી તે ઈન્દ્રિયો સંસ્કાર અનુસાર જ પ્રવર્તે છે, તેથી દુર્બુદ્ધિવાળા જીવો વડે તેને જીતવી શક્ય નથી. આપણા શ્લોક :
तेनैव जन्तवो मूढाः, सुखमिच्छन्ति केवलम् ।
धर्मं पुनः सुदूरेण, त्यजन्ति सुखकारणम् ।।५८।। શ્લોકાર્ચ -
તેનાથી જ=ઈન્દ્રિયોથી જ, મૂઢ થયેલા જીવો કેવલ સુખને ઈચ્છે છે. પરંતુ સર્વ સુખના કારણ એવા ધર્મને દૂરથી ત્યાગ કરે છે. Ifપટll