________________
૨૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ખરેખર ભગવાન વડે જેવું અત્યંત વિષમ સ્પર્શનેન્દ્રિય વર્ણન કરાયું, લોકમાં સ્પર્શના પરમ અત્યંત, તાદશ છે–તેવો છે. ll૮૬ll શ્લોક :
यतो बोधप्रभावेन, मम पूर्वं निवेदितः ।
यथाऽन्तरङ्गनगरे, वास्तव्योऽयं महाबलः ।।८७।। શ્લોકાર્થ :
જે કારણથી બોધના પ્રભાવથી=બોધ નામના મારા અંગરક્ષકના પ્રભાવરૂપ પુરુષથી, મને પૂર્વમાં નિવેદન કરાયું, જે પ્રમાણે અંતરંગ નગરમાં વાસ્તવ્ય એવો આ મહાબલ છે વિષયાભિલાષે મોકલેલો મહાબલવાન આ સ્પર્શન છે. ll૮૭ી. શ્લોક :
तन्नूनं पुरुषव्याजसंस्थितं स्पर्शनेन्द्रियम् ।
अस्मान् प्रतारयत्येतदन्यथा कथमीदृशम्? ।।८।। શ્લોકાર્ચ -
તે કારણથી ખરેખર પુરુષના ઠગવા માટે રહેલો સ્પર્શનેન્દ્રિય છે, અન્યથા=ો આમ ન હોય તો આ સ્પર્શન, અમોને કેમ આ રીતે ઠગે છે? પુરુષના ઠગવાના બહાનાથી જ રહેલું છે આથી જ અમને આ રીતે ઠગે છે.
જીવમાં વિકાર ઉત્પન્ન કરીને કર્મને પરતંત્ર બનાવવા અર્થે માયાજાળ ફેલાવીને ઠગે છે. II૮૮ાા શ્લોક :
तथा भगवताऽऽदिष्टा, ये चोत्कृष्टतमा नराः ।
कथितः स्पर्शनेनापि, भवजन्तुस्तथाविधः ।।८९।। શ્લોકાર્ચ -
અને ભગવાન વડે આદિષ્ટ જે ઉત્કૃષ્ટતમ મનુષ્યો કહેવાયા, સ્પર્શનથી પણ ભવજંતુ તેવા પ્રકારનો કહેવાયોઃઉત્કૃષ્ટતમ પુરુષ રૂપે કહેવાયો. ll૮૯l.
શ્લોક :
तथाहि मां निराकृत्य, सदागमबलेन सः । सन्तोषानिवृति प्राप्त, इति तेन निवेदितम् ।।१०।।