________________
૧૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
सुबुद्धिप्रेरितनृपस्य सपरिवारागमनम् શ્લોક :
इतश्च सूरिवृत्तान्तः, कथञ्चिल्लोकवार्त्तया । मन्त्रिणा जिनभक्तेन, श्रुतस्तेन सुबुद्धिना ।।१४।।
સુબુદ્ધિ વડે પ્રેરિત રાજાનું સપરિવાર આગમન શ્લોકાર્ચ -
આ બાજુ કોઈક રીતે લોકવાર્તાથી જિનભક્ત એવા તે સુબુદ્ધિ નામના મંત્રી વડે સૂરિનો વૃતાંત સંભળાયો–ઉધાનમાં સૂરિ પધાર્યા છે તે મંત્રી વડે જણાયું. ll૧૪ll શ્લોક :
ततः प्रोत्साहितस्तेन, स राजा शत्रुमर्दनः ।
वन्दनार्थं मुनीन्द्रस्य, व्रजाम इति भाषिणा ।।१५।। શ્લોકાર્ચ -
તેથી સુબુદ્ધિમંત્રી વડે સૂરિનું આગમન જણાયું તેથી, મુનીન્દ્રોના વંદન માટે આપણે જઈએ એ પ્રમાણે બોલતા એવા તેના વડે=મંત્રી વડે, તે શગુમર્દનરાજા પ્રોત્સાહિત કરાયો. ll૧૫ll શ્લોક :
विधूतपापमात्मानं, वन्दनेन महात्मनाम् ।
साधूनां येऽत्र कुर्वन्ति, ते धन्यास्ते मनीषिणः ।।१६।। શ્લોકાર્ચ - જેઓ આ સંસારમાં મહાત્મા એવા સાધુઓના વંદન વડે પોતાને પાપ રહિત કરે છે તેઓ ધન્ય છે, તેઓ બુદ્ધિમાન છે એ પ્રકારે મંત્રીએ રાજાને કહ્યું [૧૬ll શ્લોક -
ततो मदनकन्दल्या, सार्द्धमन्तःपुरैस्तथा ।
सुबुद्धिवचनाद्राजा, निर्गतो मुनिवन्दकः ।।१७।। શ્લોકાર્થ :
તેથી=મંત્રીએ રાજાને મહાત્માના દર્શન કરવા માટે પ્રેરણા કરી તેથી, મદનકંદલી સાથે અને અન્તઃપુર સાથે, તે પ્રકારના સુબુદ્ધિના વચનથી મુનિને વંદન કરવા તત્પર એવો રાજા નીકળ્યો. ll૧૭ll