________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક -
इदं हि तेषां सौजन्यं, यत्स्वभावेन सर्वदा ।
परेषां सुखहेतुत्वं, प्रपद्यन्ते नरोत्तमाः ।।२।। શ્લોકાર્થ :તેઓનું આ સૌજન્ય છે તારા જેવા પુરુષોનું સૌજન્ય છે, જે કારણથી નરોતમ પુરુષો સ્વભાવથી સદા બીજાના સુખના હેતુપણાને સ્વીકારે છે. llરા.
स्पर्शनेन चिन्तितं-अये! संपन्नस्तावदेष मे निर्व्यभिचारः किङ्करः, प्रतिपद्यते मयाऽऽदिष्टमेष कृष्णं श्वेतं, श्वेतं कृष्णमिति निर्विचारम् । एवं विचिन्त्य स्पर्शनेनाभिहितं-वयस्य! इयतैव नः प्रयोजनं, चरितार्थोऽहमिदानीं भवदुपकारसंपत्त्येति । ततो मनीषिसमीपमुपगम्याभिहितमनेन-सखे! किं सार्थकः भवतोऽर्थसंपादनेन मदीयः प्रयास उत नेति? मनीषिणोक्तं-भद्र! किमत्रोच्यते, अनाख्येयस्तावकोऽतिशयः । स्पर्शनेन चिन्तितं-'अये! साभिप्रायकमेतद्, दुष्टः खल्वेष मनीषी न शक्यते मादृशै रञ्जयितुं, लक्षितोऽहमनेन स्वरूपतः प्रायेण, तस्मात्सलज्ज एव तावदास्तां नात्र बहुविकत्थनं श्रेयस्करम्' इति विचिन्त्य धूर्ततया कृता स्पर्शनेन काकली, न दर्शितो मुखविकारोऽपि, स्थितो મોનેતિ
સ્પર્શત વડે વિચારાયું – અરે ! આ=બાલ, તિવ્યભિચાર મારો કિંકર થયો. મારા વડે આદિષ્ટ કૃષ્ણ શ્વેત છે, શ્વેત કૃષ્ણ છે એ પ્રમાણે આ=બાલ, નિર્વિચાર સ્વીકારે છે. આ પ્રમાણે વિચારીને=આ મારો કિંકર છે માટે હું જે કંઈ કહીશ તે સર્વ સ્વીકારશે એ પ્રમાણે વિચારીને, સ્પર્શત વડે કહેવાયું. હે મિત્ર ! આટલાથી જ અમારું પ્રયોજન છેeતને સુખ થાય એટલાથી જ અમારું પ્રયોજન છે, તારા ઉપકારના સ્વીકારથી હમણાં હું ચરિતાર્થ થયો છું. આ પ્રમાણે બાલને સ્પર્શેન્દ્રિયે કહ્યું, ત્યારપછી મનીષી પાસે જઈને આના દ્વારા=સ્પર્શત દ્વારા કહેવાયું – હે મિત્ર ! તમારા અર્થસંપાદનથી મારો પ્રયાસ=તમને સુખસંપાદનથી મારો પ્રયાસ, સાર્થક થયો કે નહીં ? મનીષી વડે કહેવાયું, હે ભદ્ર ! આમાં તારા પ્રયાસમાં, શું કહેવું, અલાય એવો તારો અતિશય છે. સ્પર્શત વડે વિચારાયું – અરે ! આ=મનીષીનું કથન, સાભિપ્રાયવાળું છે.
બે પ્રકારે ધ્વનિ કાઢે એવું છે=અનાખ્ય તારો અતિશય છે એમ કહીને દુષ્ટતાવાળો તારો અતિશય છે તેમ પણ કહી શકાય અને મને અનુકૂળતાવાળો તારો અતિશય છે એમ પણ કહી શકાય એવા સંદિગ્ધ અભિપ્રાયવાળું મનીષીનું આ વચન છે.
ખરેખર દુષ્ટ એવો આ મનીષી મારા વડે રંજન કરવા માટે શક્ય નથી. પ્રાયઃ હું આવા દ્વારા મનીષી દ્વારા, સ્વરૂપથી હું વિકાર કરનારો છું એ સ્વરૂપથી, જણાયો છે તે કારણથી લજ્જાવાળો જ ત્યાં સુધી રહું=જયાં સુધી મનીષી મને પોતાના ઘરમાં રાખે ત્યાં સુધી વધારે પરાક્રમ કર્યા વગર લજ્જા