________________
૧૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભોગતૃષ્ણા, થાય છે. તેઓની મતિ અકાર્યમાં અત્યંત પ્રવર્તે છે=ભોગતૃષ્ણાને આધીન જે જે અકાર્યની પ્રાપ્તિના ઉપાયો જણાય છે, તેમાં અત્યંત મતિ પ્રવર્તે છે. III શ્લોક :
तृणकाष्ठैर्यथा वह्निर्जलपूरैर्यथोदधिः ।
तथा न तृप्यत्येषाऽपि, भोगैरासेवितैरपि ।।३।। શ્લોકાર્થ :
જે પ્રમાણે તૃણ-કાષ્ઠોથી વહ્નિ, જે પ્રમાણે જલના પુરાવાથી સમુદ્ર તૃપ્ત થતો નથી, તે પ્રમાણે આસેવિત પણ ભોગોથી આ પણ=ભોગતૃષ્ણા પણ, તૃપ્ત થતી નથી. Il3II શ્લોક :
यो मूढः शमयत्येना, किल शब्दादिभोगतः । जले निशीथिनीनाथं, स हस्तेन जिघृक्षति ।।४।।
શ્લોકાર્ય :
જે મૂઢ શબ્દાદિના ભોગથી ખરેખર આને=ભોગતૃષ્ણાને, શમાવવા યત્ન કરે છે, તે જલમાં નિશીથિનીનાથને ચંદ્રને, હાથ વડે ગ્રહણ કરવા યત્ન કરે છે.
જેમ પાણીમાં ચંદ્રના પ્રતિબિંબને જોઈને તેને ગ્રહણ કરવાની બાળકની ચેષ્ટા મૂર્ખતાભરી છે. તેમ પ્રતિપક્ષના ભાવનને છોડીને માત્ર શબ્દાદિના ભોગથી ભોગની ઇચ્છાને શમન કરવાનો યત્ન મૂર્ખતાભર્યો છે. III
બ્લોક :
मोहादेनां प्रियां कृत्वा, भोगतृष्णां नराधमाः । संसारसागरे घोरे, पर्यटन्ति निरन्तके ।।५।।
શ્લોકાર્ય :
મોહથી=અજ્ઞાનથી, આ ભોગતૃષ્ણાને પ્રિય કરીને સુખના ઉપાયરૂપે ગ્રહણ કરીને, નરાધમ જીવો અંત વગરના ઘોર એવા સંસારસાગરમાં ભટકે છે.
જે જીવોમાં ગાઢ અંધકાર વર્તે છે તેઓને ભોગતૃષ્ણાકાળમાં ઇચ્છાની આકુળતા ભોગની ક્રિયાકૃત શ્રમમાં વર્તતી વિહ્વળતા દેખાતી નથી. માત્ર આ પદાર્થો મને ઇષ્ટ છે, એનાથી મને સુખ થાય છે તેવી મૂઢ બુદ્ધિને ધારણ કરે છે. તે નરાધમ જીવો અંત વગરના અનેક ઉપદ્રવોથી યુક્ત સંસારસાગરમાં ભટકે છે. કંપા