________________
૧૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :મર્યલોકમાં અને નિર્વાણમાં જે કોઈ વિભૂતિઓ છે તે સર્વ વિભૂતિઓ સન્માર્ગરોધી એવા અજ્ઞાન વડે જ હરણ કરાઈ છે. III શ્લોક :
अज्ञानं नरको घोरस्तमोरूपतया मतम् ।
अज्ञानमेव दारिद्र्यमज्ञानं परमो रिपुः ।।९।। શ્લોકાર્થ :
અજ્ઞાન તમોરપપણાને કારણે ઘોરનરક મનાય છે, અજ્ઞાન જ દારિદ્ય છે, અજ્ઞાન પરમશનું છે. II૯ll શ્લોક :
अज्ञानं रोगसंघातो, जराऽप्यज्ञानमुच्यते ।
જ્ઞાન વિપ સર્વા, અજ્ઞાનં મરઘાં મતમ્ પારા શ્લોકાર્ચ -
અજ્ઞાન રોગનો સંઘાત છે, જરા પણ અજ્ઞાન કહેવાય છે, અજ્ઞાન સર્વ વિપદો છે આપત્તિઓ છે, અજ્ઞાન મરણ કહેવાયું છે; કેમ કે અનંત મરણનું બીજ છે. ||૧૦|| શ્લોક :
अज्ञानविरहे नैष, घोरः संसारसागरः ।
अत्रापि वसतां पुंसां, बाधकः प्रतिभासते ।।११।। શ્લોકાર્ધ :
અહીં પણ વસતા પુરુષને સંસારમાં વસતા પુરુષને, અજ્ઞાનનો વિરહ હોતે છતે આ ઘોર સંસારસાગર બાધક પ્રતિભાસ થતો નથી. ll૧૧|| શ્લોક :
याः काश्चिदप्यवस्थाः स्युर्याश्चोन्मार्गप्रवृत्तयः ।
यच्चासमञ्जसं किञ्चिदज्ञानं तत्र कारणम् ।।१२।। શ્લોકાર્ય :
જે કોઈ પણ અવસ્થા થાય જીવને પ્રતિકૂળ અવસ્થા થાય, અને જે કોઈ ઉન્માર્ગની પ્રવૃત્તિઓ થાય અને જે કંઈ અસમંજસ છે તેમાં અજ્ઞાન કારણ છે.