________________
૧૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેણી વડે કહેવાયુ=અકુશલમાલા વડે બાલને કહેવાયું, આ હું બતાવું છું, હે પુત્ર! તું સન્મુખ થા તું મારી શક્તિને જોવાને સન્મુખ થા=અકુશલકર્મો વિપાકમાં આવે તે પ્રકારના પરિણામને સન્મુખ થા, ત્યારપછી તે=અકુશલમાલા, ધ્યાનનું પૂરણ કરીને તેના શરીરમાં પ્રવેશ પામી=અકુશલકમ વિપાકને અભિમુખ થાય તેવો બાલનો સન્મુખભાવ થયો ત્યારે અકુશલકર્મો વિપાકને અભિમુખ થવાથી બહારની ચિત્તવૃત્તિ તે પ્રકારનાં અશુભકાર્યો કરે તેવા પરિણામને અભિમુખ થાય છે. llરરા શ્લોક :
अथाऽकुशलमालायाः, प्रवेशानन्तरं पुनः ।
स बालः स्पर्शनेनापि, गाढं हर्षादधिष्ठितः ।।२३।। શ્લોકાર્ચ -
હવે અકુશલમાલાના પ્રવેશ પછી તે બાલ સ્પર્શનથી પણ હર્ષના અતિશયથી ગાઢ અધિષ્ઠિત થયો. ૨૩ll શ્લોક :
ततः शरीरे तौ तस्य, वर्त्तमानौ क्षणे क्षणे ।
अभिलाषं मृदुस्पर्श, कुरुतस्तीव्रवेदनम् ।।२४।। શ્લોકાર્ચ -
ત્યારપછી તેના શરીરમાં વર્તતા એવા તે બે ક્ષણે ક્ષણે મૃદુપર્શના વિષયમાં અભિલાષરૂપ તીવ્ર વેદનાને કરે છે–અકુશલકર્મનો ઉદય અને સ્પર્શનની ઈચ્છાને આપાદન કરે એવા કષાયોનો ઉદય તે બાલને મદુસ્પર્શ વિષયમાં અભિલાષરૂપ તીવ્ર વેદના કરે છે જે કષાયની વિહ્વળતા સ્વરૂપ છે. ર૪ શ્લોક :____ परित्यक्तान्यकर्त्तव्यस्तावन्मात्रपरायणः ।
स बालः सुरतादीनि, दिवा रात्रौ च सेवते ।।२५।।
શ્લોકાર્ય :
પરિત્યક્ત અન્ય કર્તવ્યવાળો તેટલા માત્રમાં પરાયણ-મૃદુસ્પર્શના સુખના અનુભવ માત્રમાં તત્પર, તે બાલ દિવસ અને રાત્રે સ્ત્રીઓ આદિને સેવે છે. રિપો