________________
૧૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
મનીષી આદિની અવસ્થા આ=પાપ કર્યા પછી છુપાવવાનો યત્ન કરે છે, કેવલ અધિકતર મોહવિલસિત સૂચન કરે છે, આ પ્રમાણે વિચારીને ત્યારપછી તેના વડે=મધ્યમબુદ્ધિ વડે, કહેવાયું. હે મનીષી ! આ વૃત્તાંતને સાંભળીને તારા વડે શું આચરણ કરાયું? કર્મવિલાસરૂપ પિતા વડે, શું આચરણ કરાયું ? બે માતાઓ વડે શું આચરણ કરાયું ?=મધ્યમબુદ્ધિની સામાન્યરૂપા માતા અને મનીષીની શુભસુંદરી રૂપ માતા વડે શું આચરણ કરાયું ? અથવા તગરલોક વડે શું આચરણ કરાયું ? એ પ્રમાણે હું સાંભળવા ઇચ્છું છું. મનીષી વડે કહેવાયું – હે ભાઈ ! સાંભળ, નિર્ગુણોમાં પુરુષોની ઉપેક્ષા છે એ ભાવનાથી મને બાલ પ્રત્યે માધ્યસ્થ થયું અને ક્લેશ પામતા જીવો વિશે સંતો દયાવાળા છે એ પ્રકારના પર્યાલોચનથી તારા ઉપર મહાન કરુણા પ્રગટ થઈ અને પાપમિત્રના અભિવૃંગથી જનિત=સ્પર્શતરૂપ પાપમિત્રતા ગાઢ રાગથી જનિત, આવા પ્રકારના અપાયોના=જેવા પ્રકારના અનર્થો બાલને પ્રાપ્ત થયા એવા પ્રકારના અપાયોના, અતર્થોથી હું મુકાયો એ પ્રમાણે જાણવાને કારણે આત્મામાં આસ્થાબુદ્ધિ થઈકમનીષીએ સ્પર્શતની મૂળશુદ્ધિ કરીને જે પ્રકારે સ્પર્શતને શત્રુબુદ્ધિથી જાણીને બહિર્ષાયાથી મિત્રબુદ્ધિ સ્વીકારી છે તેમાં આસ્થાબુદ્ધિ થઈ, (અહીં ‘વંવિધાનામ્ પાનામ્' પછી ‘અનર્થ' હોવાની સંભાવના છે.) ગુણાધિકમાં મહાત્માઓ પ્રમોદવાળા હોય છે એ પ્રકારના વિમર્શથી ધન્ય, પુણ્યશાળી આ ભવજંતુ છે. જેના વડે સમસ્ત અનર્થનો હેતુ, પાપમિત્ર એવો આ સ્પર્શત સર્વથા નિરાકરણ કરાયો એ પ્રમાણે સમાલોચન કરતા એવા મને તેના પ્રત્યે=ભવજંતુ પ્રત્યે, હર્ષ ઉલ્લસિત થયો. વળી, પિતા વડે કેવલ અટ્ટહાસ્યથી હસાયું. મારા વડે પુછાયું - હે તાત ! આ કેમ=કેમ તમારા વડે હસાયું ? તાત એવા કર્મવિલાસરાજા વડે કહેવાયું – હે પુત્ર ! હું પ્રતિકૂલ હોતે છતે બાલને જે પ્રાપ્ત થયું આથી=મારા પ્રતિકૂલપણામાં બાલને જે પ્રાપ્ત થયું આથી, મારોઃકર્મવિલાસનો, હર્ષ છે. તે પુત્ર ! તું ક્યાં ગયો છે? એ પ્રમાણે સામાન્યરૂપા માતા વડે પરિતાપ કરાયો.
મધ્યમબુદ્ધિનાં સામાન્યરૂપ કર્મ હતાં અને મધ્યમબુદ્ધિની બાલ પાછળની તે પ્રકારની પ્રવૃત્તિ ઉચિત નથી તેમ જણાય છે તે બતાવવા માટે કહે છે કે સામાન્યરૂપા એવી તેની માતા વડે મધ્યમબુદ્ધિની એ પ્રકારની પરિસ્થિતિને કારણે ચિંતા કરાઈ. મારા પુત્રને અપાય થયો નથી, એથી મારી માતા ચિત્તથી હર્ષિત થઈ. મનીષીની માતાએ જોયું કે પાપમિત્ર સાથે જે રીતે બાલને સ્નેહ છે અને મધ્યમબુદ્ધિને બાલ પ્રત્યે સ્નેહ છે તેને કારણે જ ક્લેશને પામે છે, વળી, મનીષી વિચારક હોવાથી ક્લેશને પામતો નથી, તેથી તેનાં શુભકર્મો અક્લેશભાવને કારણે અતિશયવાળાં થાય છે અને ઉચિત વિચારણા કરીને મનીષી સર્વત્ર ઉચિત વર્તન કરે છે. તેથી તેનાં શુભકર્મો અતિશયવાળાં થાય છે તે તેની માતાનો હર્ષ છે.
વળી, બાલતા હરણથી તગરના લોકોને પ્રમોદ થયો. વળી, તારા જવાથી કરુણા થઈ. સ્વસ્થ અવસ્થાના દર્શનથી=બાલ પ્રત્યેના મૂઢ સ્નેહભાવના અભાવને કારણે મારી સ્વસ્થ અવસ્થાના દર્શનથી, મારા