________________
૧૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વિપરીત બુદ્ધિ વર્તતી હતી ત્યારે સ્પર્શન અને અકુશલમાલા બાલના શરીરમાં અંતર્ધાન થઈ બાલને તે તે પ્રકારના પરિણામ કરવા પ્રેરણા કરતા હતા, હવે તે પરિણામો કેવા છે, તેનું સમાલોચન કરવા માટે જ્યારે બાલ પ્રવર્તે છે ત્યારે તે સ્પર્શન અને અકુશલમાલા જાણે તેની સાથે વાર્તાલાપ કરીને પોતાનું સ્વરૂપ કહેતાં ન હોય અને પોતાના સ્વરૂપનું ફળ બાલને પૂછતાં ન હોય તે પ્રકારે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ કહ્યું કે સ્પર્શન અને અકુશલમાલા આવિર્ભત થયાં.
અકુશલમાલા વડે કહેવાયું – સુંદર પુત્ર ! સુંદર જે કારણથી મારાથી થયેલો=અકુશલકર્મોના ઉદયથી થયેલો, બાલ બુદ્ધિવાળો એવો જીવ જે આચરણા કરે છે, તે તારા વડે કરાયું. જે કારણથી જુઠ્ઠો વાચાલ મનીષી તારા વડે નિરાકરણ કરાયો. આ પ્રકારના બાલને વિચારો તેનાં અકુશલક આપે છે. સ્પર્શત વડે કહેવાયું, હે માતા ! આવા પ્રકારના પુરુષોનું અનુષ્ઠાન યુક્ત જ છે અકુશલમાલાથી ઉત્પન્ન થયેલા પુરુષોને બાલે કર્યું તેવું અનુષ્ઠાન યુક્ત જ છે, તેમ જણાય છે ખરેખર આ પ્રમાણે આચરતા બાલ વડે=અકુશલમાલાના પુત્ર તરીકે જે પ્રકારે આચરણ કર્યું તે પ્રકારે આચરતા પ્રિય મિત્ર એવા બાલ વડે, મારામાં સ્પર્શનમાં, નિર્ભર અનુરાગ બતાવયો. અથવા આ લિટિત વડે શું?=બાલને જે અત્યાર સુધીની પ્રાપ્તિ થઈ એના વડે શું? હમણાં ત્રણેય પણ આપણને ભાવસાર સમાન સમસ્ત દુઃખસુખતા છે.
જ્યારે જ્યારે બાલને દુઃખ આવે છે ત્યારે ત્યારે એની માતાને અને સ્પર્શનને પણ દુઃખની પ્રાપ્તિ થાય છે અને જ્યારે જ્યારે બાલને સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે ત્યારે સ્પર્શન અને તેની માતાને પણ સુખની પ્રાપ્તિ થાય છે, તેથી સુખદુ:ખમાં આપણે ત્રણેય સમાનભાગી છીએ. એ પ્રમાણે સ્પર્શન અકુશલમાલાને કહે છે.
વળી, મોટા અર્થને સાધવામાં પ્રવૃત્ત એવા જીવોને પણ અત્તરાલમાં જે વિઘ્નો થાય છે તેઓને કોણ ગણે ? અર્થાત્ મોટા અર્થને સાધનારા તેઓને=વિધ્યોને, ગણતા નથી. આથી જ સ્પર્શતા સુખને સાધવા માટે પ્રવૃત્ત એવો બાલ અત્તરાલમાં જે વિધ્યો થાય છે તેને ગણતો નથી. તે પ્રકારે સ્પર્શત બાલની શૂરવીરતાની પ્રશંસા કરે છે. બાલ કહે છેઃસ્પર્શનને કહે છે, અમે પણ આવે જ કહીએ છીએ=મોટાકાર્યને સાધનારાઓ અત્તરાલમાં વિઘ્નો આવે છે તેને ગણતા નથી એને જ અમે કહીએ છીએ. કેવલ આd=મોટાકાર્યને સાધવામાં ધીરપુરુષો વિધ્વને ગણતા નથી એને, તે મનીષી જાણતો નથી. સ્પર્શત વડે કહેવાયું–બાલને કહેવાયું. તારે તેના વડે શું?=મનીષી વડે શું ? તને પાપકર્મ એવો આ મનીષી સુખમાં વિઘ્નનો હેતુ છે.
બાલના ચિત્તમાં વર્તતો સ્પર્શનનો રાગ આ પ્રકારે બાલને વિચાર આપે છે કે મનીષી પાપકર્મોવાળો છે તેથી સ્પર્શનના સુખમાં તને વિઘ્નોનો હેતુ છે માટે તેની સોબત કરવી જોઈએ નહીં.
અને આ જન=સ્પર્શન, અને માતા=અકુશલમાલા, કેવલ તારા સુખનાં કારણ છે. એ પ્રકારે સ્પર્શત બાલને વિચારો આપે છે. બાલ કહે છે – આમાં=સ્પર્શને કહ્યું એમાં, શું વિકલ્પ છે? અર્થાત્ કોઈ વિકલ્પ નથી. આ સ્પર્શનનું કથન, નિઃસંદિગ્ધ છે. ત્યારપછી તે બંને દ્વારા=સ્પર્શત અને