________________
૧૭૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રકૃતિવાળો જણાય છે. ત્યારપછી બીજો પુરુષ કહે છે – હે ભદ્ર! જે પાપવૃત્તિવાળાના વત્સલો છે= પાપવૃત્તિવાળા પ્રત્યે લાગણીવાળા છે, તેઓની વિશિષ્ટતા કેવા પ્રકારની ? અર્થાત્ તે પણ સુંદર નથી મધ્યમબુદ્ધિ પણ સુંદર નથી. ખરેખર જાત્યસુવર્ણ શ્યામિકાની સાથે સંસર્ગને યોગ્ય નથી.
જો આ મધ્યમબુદ્ધિ જાત્યસુવર્ણની જેમ સુંદર હોત તો શ્યામિકા જેવા બાલની સાથે સંસર્ગને પામે નહીં. આથી જ=પાપી સાથે સંસર્ગ પામે છે આથી જ, તેના દ્વારા જ=પાપીના સંસર્ગ દ્વારા જ, દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે અને લોકમાં અપયશને પ્રાપ્ત કરે છે. એમાં પાપીના સંસર્ગથી મધ્યમબુદ્ધિ અનર્થો પ્રાપ્ત કરે છે એમાં, શું આશ્ચર્ય છે? વળી, જે જીવો પ્રથમથી જ પાપઅનુષ્ઠાતવાળા અશુભજનના સંપર્કનો ત્યાગ કરે છે, તેઓને આ દોષ=દુખોની પરંપરા અને અપયશનો દોષ, પ્રાપ્ત થતો નથી. આ અર્થમાં=આદિથી જ પાપી જીવોના સંપર્કનો ત્યાગ કરે છે એ અર્થમાં, આ જ મનીષી દષ્ટાંત છે. પરિહાર કર્યું છે પાપમાં તત્પર એવા બાલનું વાત્સલ્ય જેને એવો જે આ મહાત્મા મનીષી નિષ્કલંક સુખથી જીવે છે, તેથી તે લોકવાદને સાંભળતા મારા વડે આ જણાયું=નગરલોકનો અભિપ્રાય મારા વડે જણાયો.
| મધ્યમવુદ્ધર્વોથ: मध्यमबुद्धिना चिन्तितम्
ગયાશ્લોક :
दोषेषु वर्तमानस्य, नरस्यात्रैव जन्मनि । नास्त्येव सुखगन्धोऽपि, केवलं दुःखपद्धतिः ।।१।।
મધ્યમબુદ્ધિનો બોધ શ્લોકાર્ધ :
મધ્યમબુદ્ધિ વડે વિચારાયું ખરેખર ! દોષોમાં વર્તમાન મનુષ્યને આ જ જન્મમાં સુખની ગંધ પણ નથી જ, કેવલ દુઃખની પદ્ધતિ છે. [૧] શ્લોક :
स हि दुःखभराक्रान्तस्तावता नैव मुच्यते ।
आक्रोशदानतस्तस्य, लोकोऽन्यद्वैरिकायते ।।२।। શ્લોકાર્ચ -
દુઃખના સમૂહથી આક્રાંત થયેલો ત્યાં સુધી દોષોમાં વર્તે છે ત્યાં સુધી, મુક્ત થતો નથી, બીજું આક્રોશ આપવાથી લોક તેનો શત્રુ થાય છે. પરિણા