________________
૧૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
હવે અકુશલમાલા પણ નીકળીને દેહમાંથી બહાર નીકળીને, પૂછે છે – હે પુત્ર ! કેવા પ્રકારની મારી યોગશક્તિ તને ભાસે છે ? ll3oll શ્લોક :
स प्राहानुगृहीतोऽस्मि, निर्विकल्पोऽहमम्बया ।
सुखसागरमध्येऽत्र, यथाऽहं संप्रवेशितः ।।३१।। શ્લોકાર્થ :
તે કહે છે=બાલ માતાને કહે છે – માતાથી હું નિર્વિકલ્પ અનુગૃહીત છું=નિશ્ચિત અનુગૃહીત છું, જે પ્રમાણે અહીં=ભોગની પ્રવૃત્તિમાં, હું સુખસાગરમાં સંપ્રવેશ કરાવાયો. [૩૧]
પૂર્વમાં અકુશલમાલા જ્યારે તેના દેહમાં પ્રવેશે છે ત્યારે તે બાલનાં અકુશલકર્મો વિપાક સન્મુખ થઈને તેને અત્યંત નિન્દ એવી કામવૃત્તિને પ્રગટ કરે છે અને સાથે સ્પર્શનપરિણામ આપાદક કર્મ પણ વિપાકમાં હોવાથી સ્પર્શનેન્દ્રિય વિષયક મતિજ્ઞાનનો ઉપયોગ પણ ગાઢ સ્પર્શનની ઇચ્છાવાળો તે અકુશલકર્મોના ઉદયથી યુક્ત મતિજ્ઞાનના ઉપયોગરૂપે પ્રવર્તે છે, તેથી બાળ જીવમાં કામમાત્રમાં તીવ્ર સારબુદ્ધિ થાય છે. જેનાથી લોકમાં નિન્દ એવી પણ સર્વ અનુચિત પ્રવૃત્તિઓ કરે છે, પોતાની અનુચિત પ્રવૃત્તિથી લોકોની નિંદાની પણ અવગણના કરીને તીવ્ર કામાસક્ત થઈને પ્રવર્તે છે, તે સર્વ અકુશલકર્મો વિપાકમાં વર્તતાં હોવાથી થયેલો પરિણામ હતો અને જ્યારે તે બાલ તે અકુશલકર્મોના વિપાકથી થયેલા સુખનો વિચાર કરે છે ત્યારે તે અકુશલકર્મો બહાર નીકળીને તેની સાથે વાર્તાલાપ કરે છે, જેથી તે અકુશલકર્મોના કાર્યની બાલ પ્રશંસા કરે છે તે પ્રકારે અહીં કહેલ છે. શ્લોક :
अन्यच्चाम्ब! त्वया नित्यं, मदनुग्रहकाम्यया ।
न मोक्तव्यं शरीरं मे, यावज्जीवं स्वतेजसा ।।३२।। શ્લોકાર્ચ -
અને બીજું હે માતા ! તારા વડે નિત્ય મારા અનુગ્રહની કામનાથી માવજીવ સ્વતેજથી મારું શરીર મુકાવું જોઈએ નહીં–બાલ પોતાનાં અકુશલકર્મોથી પ્રેરાઈને ઈચ્છે છે કે સદા આવા પ્રકારની કામની ઉત્કટ લાલસા મને સદા પ્રાપ્ત થાઓ તે સ્વરૂપ જ બતાવવા અર્થે કહે છે કે હું જીવું ત્યાં સુધી અકુશલકમ પોતાના તેજથી મારામાં સદા વર્તે. II3રચા શ્લોક :
થાડશનમાનાડડદ, યજુર્ગે વત્સ! રોયતે | तदेव सततं कार्य, मया मुक्तान्यचेष्टया ।।३३।।