________________
૧૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જેટલા ઉત્તમપુરુષો છે તેઓ ધર્મને વંદન કરે છે. તેથી ધર્મ જગતથી વન્ય છે. વળી, આત્માની નિર્મળતાનું એક કારણ હોવાથી અકલંક છે, સનાતન છે, સદા યોગ્ય જીવોમાં વિદ્યમાન રહેનારા છે અને જે જીવોમાં ધર્મ પ્રગટ થાય છે તે જીવો બીજાના હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરનારા બને છે, તેથી ધર્મ પરાર્થસાધક છે. અને જેઓ શીલગુણથી અલંકૃત છે તેવા ધીરપુરુષોથી ધર્મ સેવાયેલો છે, તે જ ધર્મ દુર્ગતિઓમાંથી પડતા જીવોનું રક્ષણ કરનાર છે, સદ્ગતિઓમાં સ્થાપન કરનાર છે, અને સુખની પરંપરાની વૃદ્ધિ દ્વારા પૂર્ણસુખને પ્રાપ્ત કરાવનાર છે. l૩૫-૩૬ાા શ્લોક :
ततो भागवतं वाक्यं, श्रुत्वेदममृतोपमम् ।
संसारवासात्तैः सर्वैः, स्वं स्वं चित्तं निवर्तितम् ।।३७।। શ્લોકાર્ચ -
તેથી અમૃતની ઉપમાવાળું ભગવાનનું આ વાક્ય સાંભળીને સર્વ એવા તેઓ વડે સંસારના વાસથી પોતપોતાનું ચિત્ત નિવર્તન કરાયું. ll૧૭ી શ્લોક :
राजाऽऽह क्रियते सर्वं, यदादिष्टं महात्मना ।
प्रगुणाऽऽह महाराज! किमद्यापि विलम्ब्यते ।।३८।। શ્લોકાર્ચ -
રાજા કહે છે, જે મહાત્મા વડે આદિષ્ટ કરાયું તે સર્વ કરાય. પ્રગુણા કહે છે, હે મહારાજ ! કેમ હજી પણ વિલંબ કરાય છે. ll૧૮II શ્લોક :
चारु चारूदितं तात! सम्यगम्ब! प्रजल्पितम् ।
युक्तमेतदनुष्ठानं, मुग्धेनैवं प्रभाषितम् ।।३९।। શ્લોકાર્થ :
હે પિતા ! સુંદર સુંદર કહેવાયું. હે માતા ! સમ્યમ્ બોલાયું, આ અનુષ્ઠાન યુક્ત છે, એ પ્રમાણે મુગ્ધ વડે બોલાયું. ll૩૯ll શ્લોક :
हर्षोत्फुल्लसरोजाक्षी तथापि गुरुलज्जया । तदुक्तं बहु मन्वाना, वधूर्मीनेन संस्थिता ।।४०।।