________________
૧૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સંયોગ અન્યને ઈર્ષ્યા કરાવે અને વિયોગ થાય તો શોક કરાવે તેવા પરિણામથી યુક્ત છે તેથી પ્રિયનો સંયોગ અનિત્ય છે. અને વળી, કૃત્રિત આચરણાનું સ્થાન એવું યૌવન પણ અનિત્ય છે કામની કૃત્સિત ચેષ્ટા કરાવે તેવું યૌવન અનિત્ય છે. ||રા શ્લોક :
अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः ।
अनित्यं जीवितं चेह, सर्वभावनिबन्धनम् ।।३३।। શ્લોકાર્ચ -
તીવ ક્લેશના સમુદાયથી ઉદ્ભવ થયેલી સંપત્તિઓ અનિત્ય છે ધનઅર્જન રક્ષણ આદિ તીવક્લેશના સમુદાયથી પ્રાપ્ત થયેલી સંપત્તિઓ અનિત્ય છે. અને અહીં સંસારમાં, સર્વભાવોનું કારણ એવું જીવિત=ભોગવિલાસ, આનંદ, પ્રમોદાદિ સર્વવિલાસનું કારણ એવું જીવિત, અનિત્ય છે. Il33ll શ્લોક :
पुनर्जन्म पुनर्मृत्युहीनादिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः, सुखमत्र न विद्यते ।।३४।।
શ્લોકાર્ધ :
ફરી જન્મ ફરી મૃત્યુ હીનાદિ સ્થાનના આશ્રયવાળું છે. અને જે કારણથી ફરી ફરી છે=જન્મમૃત્યુ ફરી ફરી છે. આથી, અહીં=સંસારમાં, સુખ વિધમાન નથી. ll૩૪ll શ્લોક :
प्रकृत्याऽसुन्दरं ह्येवं, संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता, क्वचिदास्था विवेकिनाम् ? ।।३५ ।। मुक्त्वा धर्मं जगद्वन्द्यमकलङ्क सनातनम् ।
परार्थसाधकं धीरैः, सेवितं शीलशालिभिः ।।३६।। युग्मम् શ્લોકાર્ય :
આ રીતે સંસારમાં સર્વ જ પ્રકૃતિથી અસુંદર છે. આથી અહીં સંસારમાં, હે જીવ! તું કહે, જગતવન્દ, અકલંક, સનાતન, પરાર્થને સાધનાર, શીલશાલી એવા પુરુષોથી સેવાયેલા એવા ધર્મને છોડીને વિવેકીઓને શું આસ્થા ક્યાંય યુક્ત છે?=વિવેકીને આ ભવસામગ્રી અને સુખી રાખશે એ પ્રકારનો વિશ્વાસ ક્યાંય યુક્ત છે? અર્થાત્ યુક્ત નથી. એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.