________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
ततः सहर्षी तौ सूरेः, प्रणम्य चरणद्वयम् ।
तेनानुशिष्टौ स्वस्थानं, संप्राप्तौ देवदम्पती ।।८।। શ્લોકાર્ચ -
ત્યારપછી હર્ષસહિત તે બંનેનકાલજ્ઞ અને વિચક્ષણા બંને, સૂરિના ચરણને પ્રણામ કરીને તેમનાથી અનુશાસનને પામેલાં-તે સૂરિ દ્વારા હવે પછી સખ્યત્ત્વના રક્ષણ માટે શું કરવું ઉચિત છે તેના અનુશાસનને પામેલાં, દેવદંપતી સ્વસ્થાને ગયાં. દા. શ્લોક :
प्रविष्टा भोगतृष्णाऽपि, शरीरे गच्छतोस्तयोः । शुद्धसम्यक्त्वमाहात्म्यात्, केवलं सा न बाधिका ।।९।।
શ્લોકાર્ધ :
સ્વસ્થાને જતાં એવાં તે બેનાં શરીરમાં ભોગતૃષ્ણા પણ પ્રવેશ પામી=સૂરિ પાસે હતાં ત્યારે સૂરિના વચનથી ભાવિતમતિવાળાં હોવાને કારણે અવિરતિ આપાદક કર્યો હોવા છતાં તે કર્મો ભોગતૃષ્ણાને અભિમુખ ન હતાં. પરંતુ સૂરિના વચનથી ઉપદષ્ટિતત્વને અભિમુખ હતાં તેથી ભોગતૃષ્ણાની પરિણતિ ચિત્તવૃત્તિમાં ન હતી. દેહથી બહિર્ રહેલી હતી. તે જ્યારે સૂરિના ઉપદેશથી વાસિત હોવા છતાં દેવભવને અભિમુખ પ્રવૃત્તિવાળાં થાય છે ત્યારે અવિરતિ આપાદક કર્મના ઉદયને જન્ય ભોગતૃષ્ણા તેઓની ચિત્તવૃત્તિમાં પ્રવેશ પામે છે. કેવલ શુદ્ધ સમ્યક્ત્વના માહાભ્યથીeતે સૂરિના વચનથી પ્રગટ થયેલા તત્વને સ્પષ્ટ જોનારા શુદ્ધ સખ્યત્વના માહાભ્યથી, તે=ભોગતૃષ્ણા, બાધક ન હતી-ચિત્તની આકુળતા કરે તેવી ન હતી, પરંતુ વિવેકપૂર્વક ભોગશક્તિને ક્ષીણ કરે તેવી સંવેગસારા ભોગતૃષ્ણા હતી માટે બાધક ન હતી. II૯ll શ્લોક :
विचक्षणाऽऽह कालज्ञमन्यदा रहसि स्थिता । आर्यपुत्र! यदा दृष्टा, त्वयाऽहं कृतवञ्चना ।।१०।। तदा किं चिन्तितम् ? सोऽपि, स्वाभिप्रायं न्यवेदयत् ।
विचक्षणाऽऽह सत्यस्त्वं, कालज्ञ इति गीयसे ।।११।। શ્લોકાર્થ :
અન્યદા એકાંતમાં રહેલી વિચક્ષણા કાલજ્ઞને કહે છે, હે આર્યપુત્ર ! જ્યારે તારા વડે હું કૃતવંચનાવાળી જોવાઈ ત્યારે શું વિચારાયું? વળી, તે પણ કાલજ્ઞ પણ, પોતાના અભિપ્રાયને નિવેદન કરે