________________
૧૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જીવો સંસારમાં સુખ અર્થે પ્રવૃત્તિ કરે છે છતાં અકસ્માત કોઈક અનર્થો ઉત્પન્ન થાય છે તેવી અવસ્થાની પ્રાપ્તિ પ્રત્યે જીવનું અજ્ઞાન જ કારણ છે. આથી જ ધનઉપાર્જન અર્થે પ્રયત્ન કરવા જાય છતાં પોતાનો કયો પ્રયત્ન ધનઉપાર્જનનું કારણ થશે અને ક્યો પ્રયત્ન નિષ્ફળ થશે તેનું જ્ઞાન નહીં હોવાથી ધનઅર્જનનો યત્ન કરીને પણ ધનહાનિની અવસ્થાને તે જીવો પ્રાપ્ત કરે છે. વળી, ઉન્માર્ગની સર્વ પ્રવૃત્તિઓ અજ્ઞાનથી જ થાય; કેમ કે તે પ્રવૃત્તિથી પોતાને નરકાદિ પ્રાપ્ત થશે તેવો સ્પષ્ટ બોધ હોય તો કોઈ જીવ તે પ્રવૃત્તિ કરે નહીં અને જીવ જે કંઈ અસમંજસ કરે છે તેના પ્રત્યે તેનું અજ્ઞાન જ કારણ છે. II૧શા શ્લોક :
त एव हि प्रवर्त्तन्ते, पापकर्मसु जन्तवः ।
प्रकाशाच्छादकं येषामेतच्चेतसि वर्त्तते ।।१३।। શ્લોકાર્ય :
તે જ જીવો પાપકર્મોમાં પ્રવર્તે છે જેઓના ચિત્તમાં પ્રકાશનું આચ્છાદક આ અજ્ઞાન, વર્તે છે. I૧all
શ્લોક :
येषां पुनरिदं चित्ताद्धन्यानां विनिवर्त्तते । शुभ्रीभूतान्तरात्मानस्ते सदाचारवर्तिनः ।।१४।। वन्द्यास्त्रिभुवनस्यापि, भूत्वा भावितमानसाः ।
अशेषकल्मषोन्मुक्ता, गच्छन्ति परमं पदम् ।।१५।। युग्मम् શ્લોકાર્ચ -
ધન્ય એવા જેઓના ચિત્તથી આ=અજ્ઞાન, નિવર્તન પામે છે, શુભ્રીભૂત અંતરાત્માવાળા સદાચારમાં વર્તનારા તેઓ ત્રિભુવનને પણ વન્ધ થઈને ભાવિતમાનસવાળા અશેષ કલ્મષથી ઉન્મુક્ત થયેલા=સંપૂર્ણ કર્મરૂપી કાદવથી મુક્ત થયેલા પરમપદમાં જાય છે II૧૪-૧૫ શ્લોક -
एतच्चाज्ञानमत्रार्थे, सर्वेषां भवतां समम् ।
संजातं तेन दोषोऽयमस्यैव न भवादृशाम् ।।१६।। શ્લોકાર્થ :
અને આ અજ્ઞાન આ અર્થમાંત્રમુગ્ધ અને અકુટિલાના અનાચાર રૂપ અર્થમાં તેના વડે તે અજ્ઞાન વડે, સર્વ એવા તમને સમાન થયું, આ દોષ અજ્ઞાનનો જ છે, તમારા જેવાનો–સ્વરૂપથી નિર્મલ એવા તમારો નથી. II૧૬ll