________________
૧૨૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
अज्ञानमेव सर्वेषां रागादीनां प्रवर्त्तकम् ।
स्वकार्ये भोगतृष्णाऽपि, यतोऽज्ञानमपेक्षते ।।५।।
શ્લોકાર્થ ઃ
અજ્ઞાન જ સર્વરાગાદિઓનો પ્રવર્તક છે. સ્વકાર્યમાં ભોગતૃષ્ણા પણ જે કારણથી અજ્ઞાનની અપેક્ષા રાખે છે=સમ્યક્ દૃષ્ટિઆદિ જીવોને પણ ભોગતૃષ્ણા થાય છે ત્યારે ભોગને અનુકૂલ યત્ન કરે છે તેમાં ઘણું જ્ઞાન હોવાથી પાપપ્રવૃત્તિને શિથિલ કરે છે, તોપણ ભોગની ઈચ્છાથી ભોગની પ્રવૃત્તિકાળમાં જે યત્ન થાય છે તેમાં અજ્ઞાનની અપેક્ષા છે. પા
શ્લોક ઃ
अज्ञानविरहेणैव, भोगतृष्णा निवर्त्तते । कथञ्चित्संप्रवृत्ताऽपि, झटित्येव निवर्त्तते । । ६ ।
શ્લોકાર્થ :
અજ્ઞાનના વિરહથી જ ભોગતૃષ્ણા નિવર્તન પામે છે. કોઈક રીતે સંપ્રવૃત્ત પણ ઝટ જ નિવર્તન પામે છે=જેઓને આત્માના નિરાકુલસ્વભાવનો તે પ્રકારે સ્પષ્ટ બોધ છે તેના બળથી તે સ્વભાવમાં સહજવર્તી શકે તેવા છે તેઓમાં આત્માના નિરાકુલ સ્વભાવને અનુકૂળ સૂક્ષ્મબોધના બાધક એવા અજ્ઞાનનો વિરહ હોવાથી ભોગતૃષ્ણા સંપ્રવૃત્ત થાય તોપણ આ ભોગતૃષ્ણા આત્મા માટે કંટકની જેમ પીડાતુલ્ય છે, તેવો બોધ થવાથી પ્રતિપક્ષના ભાવન દ્વારા તરત જ નિવર્તન પામે છે. II9I
શ્લોક ઃ
सर्वज्ञः सर्वदर्शी च, निर्मलोऽयं स्वरूपतः ।
अज्ञानमलिनो ह्यात्मा, पाषाणान्न विशेष्यते ॥ ७ ॥
શ્લોકાર્થ ઃ
સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વરૂપથી નિર્મલ એવો આ આત્મા ખરેખર અજ્ઞાનથી મલિન પાષાણથી વિશેષ નથી=પાષાણ સમાન છે. II૭||
શ્લોક ઃ
याः काश्चिदेव मर्त्येषु, निर्वाणे च विभूतयः । अज्ञानेनैव ताः सर्वा, हताः सन्मार्गरोधिना ।।८।।