________________
૧૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
વળી, જે પુરુષોત્તમ આને પ્રતિકૂલ થાય છે, તેઓનેeતે જીવોને, આ=ભોગતૃષ્ણા, પ્રકૃતિથી જ સુખસમૂહને કરનારી છે=જે ઉત્તમજીવો “ભોગતૃષ્ણા જીવની વિકૃતિ છે” તેમ જાણીને તેના શમન માટે ઉચિત ભગવાનના વચન રૂ૫ ઓષધનો પ્રયોગ કરે છે, છતાં કંઈક વિકારોરૂપ ભોગતૃષ્ણા વર્તે છે, તેના કારણે વિવેકપૂર્વક ભોગ કરે છે, તેઓને આ ભોગતૃષ્ણા પ્રકૃતિથી જ ભોગની ઈચ્છાના શમનરૂપ સુખને દેનારી છે. અને વિવેકયુક્ત પરિણામને કારણે પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા સદ્ગતિઓના સુખના સમૂહને દેનારી છે. ll૧૦I શ્લોક -
तावन्मोक्षं नरो द्वेष्टि, संसारं बहु मन्यते ।
पापिष्ठा भोगतृष्णेयं, यावच्चित्ते विवर्त्तते ।।११।। શ્લોકાર્ચ -
ત્યાં સુધી જ તે મનુષ્ય મોક્ષનો દ્વેષ કરે છે, સંસારને બહુમાને છે, જ્યાં સુધી ચિત્તમાં પાપિષ્ટ એવી આ ભોગતૃષ્ણા વર્તે છે.
જે જીવોને ભોગમાં જ સુખ છે અન્ય કંઈ સુખ નથી તેવી બુદ્ધિ વર્તે છે, તેઓને ભોગના સંક્લેશના અભાવ રૂપ મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે અને ભોગસામ્રગીથી યુક્ત સંસાર સુંદર જણાય છે. ૧૧ાા શ્લોક :
यदा पुनर्विलीयेत, कथञ्चित्पुण्यकर्मणाम् ।
एषा भवस्तदा सर्वो, धूलिरूपः प्रकाशते ।।१२।। શ્લોકાર્ધ :
જ્યારે વળી કોઈક રીતે પુણ્યકર્મવાળા જીવોની આeભોગતૃષ્ણા, વિલીન થાય છે નષ્ટપ્રાય થાય છે. ત્યારે સર્વ પણ ભવ ધૂલિરૂપ પ્રકાશે છે=જે જીવો વિપર્યાય આપાદક ક્લિષ્ટક વગરના કોઈક રીતે થયા છે અથવા અત્યંત મંદ થાય છે, તેથી તેઓને ભોગતૃષ્ણા જીવની વિકારવાળી અવસ્થા છે તેવું સ્વાનુભવથી જણાય છે. તેથી ભવની ભોગાદિની ક્રિયા બાલ્ય અવસ્થામાં ધૂલિમાં રમવાની બાળકની ક્રિયા જેવી અસાર જણાય છે. ll૧૨ા. શ્લોક :
तावच्चाशुचिपुञ्जेषु, योषिदङ्गेषु मूढधीः । कुन्देन्दीवरचन्द्रादिकल्पनां प्रतिपद्यते ।।१३।।