________________
૧૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
सदोषेयमिति ज्ञात्वा, ये पुनः पुरुषोत्तमाः । स्वदेहगेहानिःसार्य, चित्तद्वारं निरुन्धते ।।६।। ते सर्वोपद्रवैर्मुक्ताः, प्रलीनाशेषकल्मषाः ।
आत्मानं निर्मलीकृत्य, प्रयान्ति परमं पदम् ।।७।। युग्मम् શ્લોકાર્ધ :
આ=ભોગતૃષ્ણા દોષવાળી છે. એ પ્રમાણે જાણીને જે વળી પુરુષોતમો સ્વદેહના ગેહમાંથી બહાર કાઢીને=ભોગતૃષ્ણાના પરિણામને બહાર કાઢીને, ચિત્તના દ્વારને નિરોધ કરે છે, તે મહાત્માઓ સર્વ ઉપદ્રવોથી મુક્ત અલીન અશેષકલ્મષવાળા=સંપૂર્ણ કર્મરૂપી કાદવ વગરના, આત્માને નિર્મલ કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે. II૬-૭ll
શ્લોક :
येऽनया रहिताः सन्तस्ते वन्द्या भुवनत्रये । वशे गताः पुनर्येऽस्याः, साधुभिस्ते विगर्हिताः ।।८।।
શ્લોકાર્ચ -
આનાથી રહિત=ભોગતૃષ્ણાથી રહિત, જેઓ છે તેઓ ભુવનત્રયમાં બંધ છે. વળી, જેઓ આના વશમાં ગયેલા છે=ભોગતૃષ્ણાના વશમાં વસે છે. તેઓ સાધુઓથી-શિષ્ટપુરુષોથી વિગહિત છે. ll૮II
શ્લોક :
अनुकूला भवन्त्यस्या, ये मोहादधमा नराः ।
तेषामेषा प्रकृत्यैव, दुःखसागरदायिका ।।९।। શ્લોકાર્ય :
જે અધમ પુરુષો મોહથી આને અનુકૂલ થાય છે તેઓને તે જીવોને, આ=ભોગતૃષ્ણા, પ્રકૃતિથી જ દુખસાગરને દેનારી છે. ll ll
શ્લોક :
प्रतिकूला भवन्त्यस्या, ये पुनः पुरुषोत्तमाः । तेषामेषा प्रकृत्यैव, सुखसन्दोहकारिका ।।१०।।