________________
૧૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ હે પ્રિય ! ખરેખર હું જિતાયો છું. હવે શું કરાય ? એ પ્રમાણે મુગ્ધ પૂછે છે, વિચક્ષણા વડે કહેવાયું. હું જે કહું તે કરાય, મુગ્ધ કહે છે, તે શું છે ? વિચક્ષણા કહે છે. લતાવનમાં જઈએ, વિશેષથી સુંદર ઉપવનની લક્ષ્મીને આપણે માણીએ, આના વડેત્રમુગ્ધ વડે, સ્વીકારાયું.
ऋज्वादीनां मिथुनद्वयदर्शने आनन्दः ___ ततो गत्वा तौ विचक्षणामुग्धौ तत्रैव कदलीलतागृहके, दृष्टं तन्मिथुनं, निरीक्षितं विस्मिताभ्यां परस्पराभिमुखं मिथुनाभ्यां, न दृष्टस्तिलतुषत्रिभागमात्रोऽपि स्वेतरयोर्विशेषः । मुग्धेन चिन्तितंअये! भगवतीनां वनदेवतानां प्रसादेन द्विगुणोऽहं संपन्नो देवी च, तदिदं महदभ्युदयकारणं, तं निवेदयामीदं ताताय, ततो निवेद्य स्वाभिप्रायमितरेषां गच्छामस्तावत्तातसमीपं इत्यभिधायोत्थितो मुग्धः । चलितं चतुष्टयमपि, प्रविष्टं ऋजुराजाऽऽस्थाने, तद्विलोक्य विस्मितो राजा महादेवी परिकरश्च, किमेतदिति पृष्टो मुग्धः । स प्राह-वनदेवताप्रसादः ऋजुराजः प्राह-कथम्? ततः कथितो मुग्धेन व्यतिकरः । ऋजुना चिन्तितं-अहो मे धन्यता, अहो मे देवतानुग्रहः, ततो हर्षातिरेकेण समादिष्टस्तेनाऽकालमहोत्सवो नगरे । दापितानि महादानानि, विधापितानि नगरदेवतापूजनानि । स्वयं च राजा राजमण्डलमध्यस्थः प्राह
ઋજુ આદિનો મિથુનદ્વય જોવામાં આનંદ ત્યારપછી તે વિચક્ષણા અને મુગ્ધ તે જ કદલીલતા ગૃહમાં જઈને=જ્યાં કાલજ્ઞ અને અકુટિલા હતાં તે જ કદલીલતાના ગૃહમાં જઈને, તે મિથુનને જોયું, વિસ્મિત થયેલા પરસ્પર અભિમુખ એવા તે મિથુન દ્વારા જોવાયું=વિચક્ષણા અને મુગ્ધ બંને જોવાયાં, તિલના ફોતરાના ત્રીજા ભાગ માત્ર પણ સ્વઈતરતો=પ્રથમનું મિથુન અને બીજા મિથુનનો વિશેષ, જોવાયો નહિ, મુગ્ધ વડે વિચારાયું. અરે ! ભગવતી વનદેવતાના પ્રસાદથી હું અને દેવી મારી પત્ની, બંને દ્વિગુણ થયા, તે આ મોટા અભ્યદયનું કારણ છે, તે આનેકમને દ્વિગુણ થયા તે આને, પિતાને નિવેદન કરું, ત્યારપછી=આ પ્રમાણે મુગ્ધએ વિચાર કર્યો ત્યારપછી, ઈતરોને=સામેના મિથુતોને, પોતાનો અભિપ્રાય નિવેદિત કરીને, પિતા સમીપે આપણે જઈએ એ પ્રમાણે કહીને મુગ્ધ ઊભો થયો, ચારેય પણ ચાલ્યાં, ઋજુ રાજાના આસ્થાનમાં એના નિવાસખંડમાં, પ્રવિષ્ટ થયાં તે ચારેયે પ્રવેશ કર્યો તેને જોઈને=બે મિથુનયુગલને જોઈને રાજા, મહાદેવી અને પરિકર વિસ્મય પામ્યાં. આ શું છે ? એ પ્રમાણે મુગ્ધ પુછાયો. તેત્રમુગ્ધ, કહે છે, વનદેવતાનો પ્રસાદ છે. ઋજુરાજા કહે છે કેવી રીતે ? તેથી મુગ્ધ વડે વ્યતિકર=પ્રસંગ, કહેવાયો. ઋજુ વડે વિચારાયું અહો ! આશ્ચર્યકારી મારી ધન્યતા છે. અહો ! મારા ઉપર દેવતાનો અનુગ્રહ છે. તેથી હર્ષના અતિરેકથી તેના વડે અકાલ મહોત્સવનો આદેશ કરાયો. નગરમાં મોટાં દાવો અપાયાં, નગરદેવતાનાં પૂજતો કરાવાયાં અને રાજમંડલમાં રહેલો રાજા સ્વયં કહે છે.