________________
૧૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩તૃતીય પ્રસ્તાવ तत्रैव स्थिता । तत्प्रभृत्यदर्शितवैक्रियौ परित्यक्तेाधर्मो देवमायया समस्तमानुषकर्त्तव्यान्याचरन्ती प्रत्येकं द्वयं भजमानौ स्थितौ विचक्षणाकालज्ञौ प्रभूतकालम् ।
કાલજ્ઞ અને વિચક્ષણાનું ચિંતન કેલિપ્રિયપણાને કારણે કાલજ્ઞ હર્ષિત થયો. કેવલ આના દ્વારા ચિંતન કરાયું, વળી, કોણ આ બીજી સ્ત્રી થઈ. જ્ઞાન દ્વારા ઉપયુક્ત થયો. આના દ્વારા જણાયું તે જ આ મારી ભાર્યા વિચક્ષણા છે. તેથી ક્રોધવાળો થયો, આના દ્વારા વિચારાયું, આ દુરાચાર પુરુષને મારું. વળી, દેવપણાને કારણે આ=વિચક્ષણા, મારવા માટે શક્ય નથી. તોપણ આ રીતે પીડા કરું જેથી ફરી પરપુરુષના ગંધની પણ પ્રાર્થના ન કરે, આ પ્રમાણે કૃતનિશ્ચયવાળા પણ આ કાલજ્ઞને તેવા પ્રકારની ભવિતવ્યતાને કારણે અર્થપર્યાલોચના પ્રવૃત્ત થઈ. ચિત્તમાં સ્કુરણ થયું. જે આ પ્રમાણે – આ મારા વડે સમ્યમ્ ચિંતવન કરાયું નથી. વિચક્ષણા પીડન કરવા યોગ્ય નથી. જે કારણથી હું પણ શુદ્ધાચારવાળો નથી. મને પણ આ દોષ સમાન છે=પરસ્ત્રી સાથે સંબંધ કરવારૂપ દોષ સમાન છે. મુગ્ધને મારવું પણ યુક્ત નથી. જે કારણથી આનેત્રમુગ્ધને, મરાયે છતે અન્યથા ભાવને જાણીને અકુટિલા મને સ્વીકારશે નહિ વિચક્ષણા અત્યંત વિરાગ પામશે. તે કારણથી=આ સર્વ કરવું ઉચિત નથી તે કારણથી, શું અકુટિલાને ગ્રહણ કરીને નથી જોયું પોતાની સ્ત્રીનું ઘર્ષણ એવો હું અહીંથી ચાલ્યો જાઉં? એ પણ ન થાય. અકાંડ પ્રસ્થાનમાં આ સ્વાભાવિક નથી એ પ્રમાણે લક્ષિત વિકારવાળી કદાચિત અકુટિલા પણ મને સ્વીકારે નહિ. તેનાથી રહિત એવા મને-અકુટિલાથી રહિત એવા મને, વળી ગમન અનર્થક જ છે. તે કારણથી ઈર્ષ્યા ધર્મનો ત્યાગ કરીને કાલવિલંબ જ અહીં આ કૃત્યમાં, શ્રેયકારી છે. વિચક્ષણા વડે પણ ચિંતવન કરાય છે. અરે ! તે જ આ મારો ભર્તા કાલજ્ઞ આ રૂપથી રહેલો છે. અત્રેનો અહીં ક્યાંથી સંભવ હોય? તેથી કેવી રીતે આવી આગળ=મારા ભર્તાની આગળ, પરપુરુષ સાથે હું રહું? એ પ્રમાણે થયેલી લજ્જાવાળી આ=પોતાનો ભર્તા, અન્ય સ્ત્રીને સેવે છે. એ પ્રમાણે સમુત્પન્ન ઈર્ષાવાળી આવી સ્થિતિમાં રહેવું દુઃશક છે. એ પ્રકારે પ્રગટ થયેલા આકુલભાવવાળી ગયેલી પણ મને કોઈ અર્થસિદ્ધિ નથી એથી સ્થાન વડે જત્યાં રહેવા વડે જ, પોતાને તોષ કરતી અને અન્ય ગતિ નથી=અન્ય કોઈ માર્ગ નથી, એ પ્રમાણે નિરાલંબતવાળી તે પણ=વિચક્ષણા પણ, જે થશે તેનાથી કાલવિલંબનને આશ્રયીને ત્યાં જ રહી. ત્યારથી માંડીને નથી બતાવ્યો વિકારભાવ એવા, ત્યાગ કરેલા ઈષ્ય ધર્મવાળાં તે બંને દેવમાયાથી સમસ્ત મનુષ્યોનાં કર્તવ્યોને આચરતાં, પ્રત્યેક દ્રયને ભજતાં કાલજ્ઞ પરસ્ત્રીને અને વિચક્ષણા પરપુરુષને ભજતાં, વિચક્ષણા અને કાલજ્ઞ ઘણો કાલ ત્યાં રહ્યાં.
प्रतिबोधकाचार्यस्योपदेशः अन्यदा मोहविलयाभिधाने कानने सातिशयज्ञानादिरत्नाकरो बहुशिष्यपरिकरः समागतः प्रतिबोधको नाम आचार्यः, निवेदितो नरेन्द्रायोद्यानपालेन, ततः सपौरजनो निर्गतस्तद्वन्दनार्थं राजा, भगवतोऽपि