________________
GO
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
પ્રગટે છે ત્યારે ભોગમાં રતિનું સુખ થાય છે; છતાં આ મારો વિકાર છે, મારી સ્વાભાવિક અવસ્થા નથી, તેવો બોધ હોવાથી તે ભોગની ક્રિયાથી શીઘંભોગની ઇચ્છા શમે છે, તેથી ઇચ્છાના શમનરૂપ સંતોષ સુખ પ્રગટે છે. તેથી સુપથ્ય અન્નથી રોગરહિત જીવને સુખ થાય છે, તેમ વિપર્યાસ વગરના મનીષીને સ્પર્શેન્દ્રિયના ભોગજન્ય ઇચ્છાના શમનને કારણે તૃપ્તિ રૂપ સુખનો અનુભવ થાય છે અને મનીષી હંમેશાં અનિચ્છામાં સુખને જોનારા હોવાથી ભોગકાળમાં પણ ભોગની ઇચ્છાને શમન કરવાને અભિમુખ પરિણામવાળા હોવાથી ભોગમાં વૃદ્ધિ થતી નથી, તેથી ભવિષ્યમાં પણ ફરી ફરી ઇચ્છા થવા રૂપ દુઃખનો અનુબંધ તે ભોગની ક્રિયાથી થતો નથી. પરંતુ ક્રમસર ભોગની નિઃસારતાને જાણીને જે કોઈ ભોગની ઇચ્છા થઈ છે તે પણ નષ્ટ, નખતર થાય છે. તેથી મનીષીને જે અંશમાં ભોગના વિકારો શાંત છે તે અંશમાં સુખ છે અને ક્યારેક વિકાર થાય છે ત્યારે પણ ભોગની ક્રિયાથી શમન થવાથી સુખ થાય છે અને ભોગની અસારતાનું સ્પષ્ટ જ્ઞાન હોવાથી ભોગની ઇચ્છારૂપ દુઃખ વૃદ્ધિ પામતું નથી. પરંતુ ક્ષણ-ક્ષીણતર થાય છે.
बालस्य स्पर्शनकिङ्करता अन्यदा प्रकटीभूतः स्पर्शनः, अभिहितोऽनेन बालः-अयि वयस्य! मदीयपरिश्रमस्यास्ति किञ्चित्फलम् ? संपन्नस्ते कश्चिदुपकारः ? बालः प्राह-सखे! अनुगृहीतोऽस्मि, दर्शितो ममाचिन्त्यालादसंपादनेन भवता साक्षात्स्वर्गः, अथवा किमत्राश्चर्यम् ? परार्थमेव निर्मितस्त्वमसि विधात्रा
- બાલની સ્પર્શન વિષયક કિંકરતા કેટલાક સમય પછી સ્પર્શત પ્રગટ થયો=ભોગની ઇચ્છારૂપ મતિજ્ઞાનના પરિણામમાંથી વિશ્રાંત થઈને બાલને મનીષી સાથે વાર્તાલાપ કરવા માટે બહિર પાત્ર રૂપે પ્રગટ થયો, આવા વડે=સ્પર્શત વડે, બાલ કહેવાયો, અરે હે મિત્ર ! મારા પરિશ્રમનું કંઈક ફળ પ્રાપ્ત થયું. તને કોઈ ઉપકાર થયો=તને કોઈ પ્રકારનું સુખ થયું, બાલ કહે છે, હે મિત્ર ! અનુગ્રહ કરાયેલો હું છું, અચિંત્ય આલાદના સંપાદન દ્વારા તારા વડે મને સાક્ષાત્ સ્વર્ગ બતાવાયો. અથવા આમાં=નારા અનુગ્રહમાં, શું આશ્ચર્ય હોય ? વિધાતા વડે પરના પ્રયોજન માટે જ=બીજા જીવોના સુખ માટે જ, તું નિર્માણ કરાયેલો છું. શ્લોક :
તથાદિपरार्थमेव जायन्ते, लोके नूनं भवादृशाः ।
मादृशानां तु संभूतिस्त्वत्प्रसादेन सार्थिका ।।१।। શ્લોકાર્ધ :
તે આ પ્રમાણે લોકમાં ખરેખર તારા જેવા પરના પ્રયોજન માટે જ જન્મે છે, તારા પ્રસાદથી મારા જેવાની સંભૂતિ મેળાપ, સાર્થક છે. IIII.