________________
૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હારમાળા રૂપ શુભસુંદરી મનીષીને બોધ કરાવે છે કે આ સ્પર્શત પાપમિત્ર છે તેની સાથે સંસર્ગ કરવો ઉચિત નથી. આ=સ્પર્શત, દુઃખપદ્ધતિનું કારણ છે. મનીષી વડે કહેવાયું આ સત્ય છે=ાયોપશમભાવના કર્મરૂપ શુભસુંદરી જે કહે છે એ સત્ય છે. કેવલ આમાં સ્પર્શનના સંબંધમાં, માતા વડે ભય કરવો જોઈએ નહિ. કેમ ભય કરવો જોઈએ નહિ? એથી કહે છે –
મારા વડેકમનીષી વડે, આ=સ્પર્શન, સ્વરૂપથી=ચારિત્રમોહનીય કર્મના ઉદયજન્ય વિકારના પરિણામરૂપ સ્વરૂપથી, લક્ષિત છે. યત્વવાળા પણ આવા=મને સ્પર્શેન્દ્રિયમાં આસક્ત કરાવે એવા યત્નવાળા સ્પર્શતતા, વંચાનો વિષય હું નથી. કેવલ આના=સ્પર્શનના, પરિત્યાગના કાળને હું પ્રતિપાલન કરું છું પરિત્યાગતા કાળ સુધી રાહ જોઈને હું તેનું કંઈક વચનઅનુસરણ કરું છું. પરંતુ સ્પર્શેન્દ્રિયમાં મૂઢ થતો નથી. કેમ પરિત્યાગકાળ સુધી પ્રતિપાલન કરું છું? એથી કહે છે. મારા વડેકમનીષી વડે, આ= સ્પર્શન, મિત્રપણાથી સ્વીકારાયો છે=જ્યાં સુધી તેનો ત્યાગનો અવસર ન આવે ત્યાં સુધી મિત્રપણા વડે સ્વીકારાયો છે. અકાંડ જ ત્યાગ કરવો યુક્ત નથી-તેના ત્યાગ કરવાને અનુકૂળ અંતરંગ બળસંચય ન થાય ત્યાં સુધી તેનો ત્યાગ કરવો યુક્ત નથી. શુભસુંદરી કહે છેકમનીષીના ક્ષયોપશમભાવ રૂપ શુભસુંદરી કહે છે. હે પુત્ર ! તારા વડે આ સુંદર અનુષ્ઠાન કરાયું=સ્પર્શનના ત્યાગના ઉચિતકાળ સુધી તેનો ત્યાગ કરવાને બદલે તેનું પ્રતિપાલન કરાયું તે સુંદર અનુષ્ઠાન કરાયું. અહો ! તારી લોકજ્ઞતા તારું વિવેકીપણું, અહો ! તારું પ્રતિપક્ષનું વાત્સલ્ય=સ્વીકારાયેલા સ્પર્શનના મિત્રભાવનું તિવહપણું. અહો ! તારી નીતિપરતા ત્યાગને અનુકૂળ ઉચિત શક્તિસંચય ન થાય ત્યાં સુધી વિવેકપૂર્વક સ્પર્શનનું પાલન કરવું એ રૂપ નીતિપરતા, અહો ! તારી ગંભીરતા=સૂક્ષ્મબુદ્ધિથી ઉચિતનો નિર્ણય કરવાને અનુકૂળ વિચારણા કરવા રૂપ ગંભીરતા, અહો ! તારો શૈર્યનો અતિરેક=જ્યાં સુધી
સ્પર્શનના ત્યાગતો કાળ ન આવે ત્યાં સુધી દુષ્ટ એવા પણ તે મિત્રને ધીરતાપૂર્વક સાચવે તેવા પ્રકારનો વૈર્યનો અતિરેક.
શ્લોક :
तथाहिनाकाण्ड एव मुञ्चन्ति, सदोषमपि सज्जनाः । प्रतिपन्नं गृहस्थायी, तत्रोदाहरणं जिनः ।।१।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણેકમનીષીની આ કુશળ પ્રવૃત્તિ છે તે આ પ્રમાણે, છે. સજ્જનો સદોષ પણ વસ્તુને અકાંડ =ત્યાગ કરવાનો ઉચિત વખત ન હોય ત્યાં સુધી મૂકતા નથી. ત્યાં=સદોષ પણ અકાંડમાં મૂકતા નથી ત્યાં, સ્વીકારાયેલા ગૃહસ્થપણામાં રહેલા જિન ઉદાહરણ છે=ભગવાન જાણતા હતા કે ઈન્દ્રિયો અવિરતિના ઉદયજન્ય ભોગની લાલસા કરાવે છે. તોપણ સદોષ એવી તેને અકાંડ મૂકતા નથી, પરંતુ સંયમનો ઉચિતકાળ આવે છે ત્યારે જ ત્યાગ કરે છે. IIII