________________
૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મૂળશુદ્ધિ બતાવે છે, આ=સ્પર્શન, વંચક છે એ પ્રમાણે બતાવે છે, હે ભાઈ, આનું વચન=સ્પર્શનનું વચન, વિશ્વસનીય નથી. આ સ્પર્શત પરમશત્રુ છે, એથી તે બાલને ફરી ફરી પ્રેરણા કરે છે. બાલ કહે છે કે મનીષી ! આ અદૃષ્ટ અર્થતા પ્રલાપથી સ સ્પર્શત ધૂર્ત છે, કર્મજન્ય આ વિકાર છે ઈત્યાદિ નહીં દેખાતા અર્થના કથનથી સર્યું, જે આ મારો વરમિત્ર અનંત, અગાધ સુખસાગરના અવગાહનમાં હેતુ છે તે જ તારો પરમશત્રુ છે એ પ્રકારની આ ભાષા કઈ?=અત્યંત અસંબદ્ધ પ્રલાપ છે. મનીષી વડે વિચારાયું – ખરેખર મૂઢ એવો આ બાલ નિવારણ કરવા માટે શક્ય નથી. આથી આના નિવારણથી સર્યું, સ્વરક્ષણમાં મારા વડે યત્ન કરવો જોઈએ=બાલને ઉપદેશ આપવાથી થતા ક્લેશપ્રાપ્તિના નિવારણ દ્વારા સ્વરક્ષણમાં મારા વડે યત્ન કરવો જોઈએ. શ્લોક :
તથાદિअकार्यवारणोद्युक्तो, मूढे यः परिखिद्यते ।
वाग्विस्तरो वृथा तस्य, भस्मन्याज्याहुतिर्यथा ।।१।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – મૂઢમાં અકાર્યના વારણમાં ઉઘુક્ત જે પરિખેદને પામે છે તેનો વાવિસ્તાર વૃથા છે. જે પ્રમાણે ભસ્મમાં ઘીની આહુતિ વૃથા છે. ||૧|| શ્લોક :
नोपदेशशतेनापि, मूढोऽकार्यान्निवर्त्यते ।
शीतांशुग्रसनात्केन, राहुर्वाक्यैर्निवारितः? ।।२।। શ્લોકાર્ધ :
સેંકડો પણ ઉપદેશથી મૂઢ અકાર્યથી નિવર્તન પામતો નથી. શીતાંશુના ગ્રસનથી વાક્યો દ્વારા–ઉપદેશ દ્વારા, કોના વડે રાહુ નિવારણ કરાયો ?
રાહુ જ્યારે ચંદ્રને પ્રસન કરવા તત્પર થયો હોય ત્યારે ઉપદેશ દ્વારા તેને વારી શકાય નહીં. રિયા શ્લોક :
अकार्ये दुर्विनीतेषु, प्रवृत्तेषु ततः सदा ।
न किञ्चिदुपदेष्टव्यं, सता कार्याऽवधीरणा ।।३।। શ્લોકાર્થ :
તેથી સદા કાર્યમાં દુર્વિનીત જીવો પ્રવૃત્ત હોતે છતે, સારુષોએ કંઈ ઉપદેશ આપવો જોઈએ નહિ. અવગણના કરવી જોઈએ. II3II