________________
૪૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ આજીજી કરે તો પણ ગણકારતો નથી. તો શું કરે છે? એથી કહે છે – જે પોતાને રુચે છે તે જ કરે છેઃકર્મપરિણામ રાજાને જે રુચે છે તે જ કરે છે. તે કારણથી આ=કર્મપરિણામ અભ્યર્થના ઉચિત નથી. પરંતુ જ્યારે આ કર્મપરિણામ રાજાને, પ્રતિભાસિત થશે, ત્યારે સ્વયં જ કુમાર માટે શુભ પરિણામ દ્વારા ક્ષાંતિ નામની પુત્રીને અપાવશે.
जिनमतज्ञोक्तं चेतःस्वास्थ्यकारणम् तातेनाभिहितं-आर्य! हतास्तर्हि वयं, यतो न ज्ञायते कदाचित्तस्य प्रतिभासिष्यते, अस्मिंश्चानपसारिते पापमित्रे कुमारस्य समस्तगुणविफलतया न किञ्चिदस्माकं जीवतीतिकृत्वा । जिनमतज्ञेनाभिहितंमहाराज! अलं विषादेन, किमत्र क्रियते? यदीदृशमेवेदं प्रयोजनमिति ।
જિનમતના જાણકાર વડે કહેવાયેલ ચિત્તની સ્વસ્થતાનું કારણ તાત વડે કહેવાયું છે આર્ય ! તો અમે હણાયેલા છીએ=ચિંતિત છીએ, જે કારણથી જણાતું નથી, જ્યારે તેને-કર્મપરિણામ રાજાને, પ્રતિભાષિત થશે ?=કુમારને ક્ષાંતિ કન્યાને અપાવવાની ઇચ્છા થશે? અને આ પાપમિત્ર અનઅપસારિત હોતે છતે કુમારના સમસ્ત ગુણોનું વિફળપણું હોવાને કારણે અમારું કંઈ જીવિત નથી એથી કરીને અમે હણાયેલા છીએ એમ અવય છે. જિનમતજ્ઞ વડે કહેવાયું – હે મહારાજા ! વિષાદથી સર્યું. અહીં=કુમારની સકલકળા પાપમિત્રને કારણે વિફલ થાય છે એમાં, શું કરી શકાય ? જો આવું જ આ પ્રયોજન છે કુમારનું પાપમિત્રને નહીં ત્યાગ કરવાનું જ પ્રયોજન છે, તો શું કરી શકાય. અર્થાત્ કંઈ કરી શકાય નહીં. શ્લોક :
तथाहिनरः प्रमादी शक्येऽर्थे, स्यादुपालम्भभाजनम् ।
अशक्यवस्तुविषये, पुरुषो नापराध्यति ।।१।। શ્લોકા -
તે આ પ્રમાણે – શક્ય અર્થમાં પ્રમાદી મનુષ્ય ઉપાલંભનું ભાજન થાય શક્ય અર્થ હોય છતાં પ્રમાદને કારણે તે કૃત્યો કરે નહીં તો તે મનુષ્યો ઉપાલંભનું ભાજન થાય છે. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષ અપરાધને પામતો નથી. ||૧|| શ્લોક :
अपि चयोऽशक्येऽर्थे प्रवर्तेत, अनपेक्ष्य बलाबलम् । आत्मनश्च परेषां च, स हास्यः स्याद्विपश्चिताम् ।।२।।