________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૮૫ સાથે વિયોગ કરાવ્યો ત્યારે મનીષીએ વિતર્ક કર્યો હતો કે સદાગમ અનુચિત કરે નહીં માટે આ સ્પર્શન મને બહુ સુંદર જણાતો નથી. એ પ્રકારે વિતર્ક મારા વડે સમ્યફ કરાયો.
જે આ પ્રમાણે ખરેખર આ સ્પર્શત પ્રાયઃ કરીને સુંદર નથી. જે કારણથી વિષયઅભિલાષથી મોકલાયેલો લોકને ઠગવામાં તત્પર આ પર્યટન કરે છે=જગતમાં બધા જીવો સાથે સંપર્ક કરતો રહે છે. તે કારણથી=લોકને ઠગવા માટે ભટકે છે તે કારણથી, આ=સ્પર્શત, અશોભન છે. તોપણ મારા વડે મિત્રપણાથી આ સ્વીકારાયો છે. બહિછયાથી સ્નેહભાવ બતાવાયો, એકત્ર બહુકાલ ક્રીડા કરાઈ છે. તે કારણથી અકાંડ જ=અનવસરમાં જ, પરિત્યાગ કરવો યુક્ત નથી. કેવલ વિજ્ઞાત સ્વરૂપવાળા એવા મારા વડે હમણાં આરો=સ્પર્શનનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. આનેત્રસ્પર્શનને, અનુકૂળ આચરવું જોઈએ નહીં. આત્મસ્વરૂપ સમર્પણ કરવું જોઈએ નહીં=સ્પર્શતને પૂછીને સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં, ગુહ્ય નિવેદન કરવું જોઈએ નહીં=સંયોગ આવશે ત્યારે હું આ સ્પર્શનને કાઢી મૂકીશ એ પ્રકારનો મારો ગુહ્યભાવ નિવેદન કરવો જોઈએ નહીં. વળી, બહિર્ભાવ દેખાડવો જોઈએ નહીં=મને તારા ઉપર સ્નેહ નથી તેવું દેખાડવું જોઈએ નહીં. વિષમ પ્રકૃતિવાળો આ=સ્પર્શેન્દ્રિય વર્તે છે. તેથી=સ્પર્શેન્દ્રિય વિષમપ્રકૃતિવાળો છે તેથી, આની સાથે થાપનાથી વર્તવું જોઈએ=જોરજુલમથી નહીં પરંતુ ચિત્તને સ્વસ્થ રાખીને કુશળતાપૂર્વક તેનાથી પોતાનું રક્ષણ થાય તે પ્રકારની થાપનાથી વર્તવું જોઈએ. પૂર્વની સ્થિતિથી જ પર્યટન કરવું જોઈએ=અત્યાર સુધી જે રીતે મિત્રની જેમ તેની સાથે પર્યટન કર્યું છે તે રીતે તેની સાથે પર્યટન કરવું જોઈએ, અને સર્વત્ર સ્પર્શત સહિત એવા મારા વડે, આનું વચન કરવું જોઈએ=તેની સાથે ફરતા એવા મારા વડે જે મારું પ્રયોજન ઈચ્છાની અનાકુળતા છે તે ઇચ્છાની અવાકુળતાના પ્રયોજન કરવાનું કારણ બને તેવું સ્પર્શનનું વચન કરવું જોઈએ=વિકારો શાંત ન થાય ત્યારે વિકારોને શમન કરીને ચિત્તની સ્વસ્થતા આપાદન રૂપ પોતાનું પ્રયોજનનું કારણ બને તેવું જ સ્પર્શેન્દ્રિયને અનુકૂળ કૃત્ય કરવું જોઈએ. જ્યાં સુધી સર્વથા આ સ્પર્શનના ત્યાગનો અવસર પ્રાપ્ત થાય. ત્યાં સુધી કેવલ આના ઉપરમાં મારા વડે અભિવૃંગ કરવો જોઈએ નહીં આ રીતે વર્તતા એવા મને=જ્યાં સુધી સર્વથા તેના પરિત્યાગનો અવસર પ્રાપ્ત થાય ત્યાં સુધી અભિવંગ રહિત પોતાના પ્રયોજનનું સાધક એટલું સ્પર્શનનું વચન હું કરીશ એ રીતે વર્તતા એવા મને, આ બાધક થશે નહીં, એ પ્રમાણે મનીષી વડે સ્વચિતમાં સિદ્ધાંત સ્થાપન કરાયો, તેથી પૂર્વસ્થિતિથી જ સ્પર્શન, મનીષી અને બાલ એ ત્રણેય નાના સ્થાનોમાં વિકાસ કરે છે. દિવસો જાય છે.
स्पर्शनयोगशक्तेर्बाले प्रभावः मनीषिणः सावधानी अन्यदा स्पर्शनेन कृतो जल्पप्रस्तावोऽभिहितं च तेन-अरे! किमत्र लोके सारम् ? किं वा सर्वे जन्तवोऽभिलषन्ति? बालेनाभिहितं-वयस्य! किमत्र ज्ञातव्यम्? सुप्रसिद्धमिदम् । स्पर्शनः प्राहकथय किं तत् ? बालो जगाद-वयस्य! सुखम् । स्पर्शनः प्राह-तत् किमिति तदेव सदा न सेव्यते?