________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कृतं पादपतनं जननीजनकानां आनन्दितास्तैराशीर्वादेन, दापितान्यासनानि नोपविष्टास्तेषु, निषण्णा भूतले, दर्शितः स्पर्शनः, कथितस्तद्वृत्तान्तः, प्रकाशितश्चात्मनश्च तेन सह मैत्रीभावः कुमाराभ्यां, परितुष्टः कर्मविलासः । चिन्तितमनेन-मम तावदपथ्यसेवनमिव व्याधेरुपचयहेतुरेष स्पर्शनः दृष्ट एव मयाऽनेकशः पूर्वं, तत्सुन्दरमेतत्संपन्नं यदनेन सहानयोमैत्री संजातेति, केवलं प्रकृतिरियं ममानादिरूढा वर्त्तते यदुत-योऽस्यानुकूलस्तस्य मया प्रतिकूलेन भवितव्यं, यः पुनरस्य प्रतिकूलो निरभिष्वङ्गतया तस्य मया सुन्दरं वर्तितव्यं, यः पुनरेकान्ततस्त्यजति स मयाऽपि सर्वथा मोक्तव्य एव । तदेवं स्थिते निरीक्ष्य निरीक्ष्य कुमारयोरेनं प्रति चेष्टितं यथोचितं करिष्यामीति विचिन्त्याभिहितं कर्मविलासेनवत्सौ! सुन्दरमनुष्ठितं भवद्भ्यां यदेष स्पर्शनः प्राणत्यागं विदधानो धारितो, मैत्रीकरणेन पुनः सुन्दरतरं, क्षीरखण्डयोगतुल्यो हि वत्सयोरनयोः सार्धं संबन्धः । अकुशलमालया चिन्तितं-अहो मे धन्यता, भविष्यत्येतत्संबन्धेन मम यथार्थं नाम । यो ह्यस्य स्पर्शनस्यानुकूलः स ममात्यन्तवल्लभः स एव च मां वर्द्धयति, पालयति, मदीयस्नेहफलं चानुभवति नेतरः, बहुशोऽनुभूतपूर्वमेतन्मया, एष च मदीयसूनुरेनं प्रति मुखरागेण गाढमनुकूलो लक्ष्यते ततो भविष्यति मे मनोरथपूर्तिरिति विचिन्त्य तया बालं प्रत्यभिहितं-वत्स! सुन्दरमनुष्ठितं, अवियोगो भवतु भवतः सुमित्रेणेति ।
કર્મવિલાસરાજા અને અકુશલમાલાનો અભિપ્રાય સર્વેએ પણ=બાળ, મનીષી અને સ્પર્શત સર્વેએ પણ નગરમાં પ્રવેશ કર્યો=ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પ્રવેશ કર્યો. રાજભવનમાં પ્રાપ્ત થયા. બે મહાદેવીઓ સાથે ભરેલી છે સભા જેણે એવો કર્મવિલાસરાના જોવાયો-તે ત્રણ વડે જોવાયો. માતા-પિતાને પાદપતન કરાયું. તેઓ વડે કર્મપરિણામ રાજા અને તેમની પત્નીઓ વડે આશીર્વાદથી આનંદિત કરાયા=બાલાદિ ત્રણે આનંદિત કરાયા, આસનો અપાયાં, તેઓમાં આસનોમાં, બેઠા નહીં, ભૂતલમાં બેઠા, સ્પર્શન બતાવાયો. તેનો વૃતાંત કહેવાયો=સ્પર્શને પૂર્વમાં જે વૃત્તાંત કહો તે વૃતાંત માતા-પિતાને કહેવાયો. અને તેની સાથે પોતાનો મૈત્રીભાવ, બે કુમારો દ્વારા બાલ અને મનીષી દ્વારા પ્રકાશિત કરાયો. કર્મવિલાસ પરિતોષ પામ્યો= સ્પર્શનના મૈત્રીભાવથી બાલ અને મનીષીને અધિક કર્મબંધની પ્રાપ્તિ થશે તેથી કર્મપરિણામ તોષ પામ્યો. આના વડે વિચારાયું–કર્મવિલાસ વડે વિચારાયું – જેમ વ્યાધિવાળાને અપથ્યનું સેવન વ્યાધિના ઉપચયનો હેતુ છે, એમ આ=સ્પર્શન, મારા ઉપચયનો હેતુ છે એ પ્રમાણે કર્મવિલાસ વડે ચિંતવન કરાયું એમ અવય છે. મારા વડે અનેક વખત પૂર્વમાં સ્પર્શન જોવાયો છે. તે કારણથી સ્પર્શતનો, બાલ અને મનીષી સાથે સંબંધ ઉપચયનો હેતુ છે તે કારણથી, આ સુંદર પ્રાપ્ત થયું જે કારણથી આની સાથે આમની મૈત્રી થઈ બાલ અને મનીષીની મૈત્રી થઈ એ પ્રમાણે કર્મવિલાસ વડે ચિંતવન કરાયું એમ અવય છે. કેવલ મારી અનાદિ રૂઢ આ પ્રકૃતિ વર્તે છે કર્મપરિણામ રાજા એવા મારી આ