________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૫૯ અનાદિની પ્રકૃતિ છે, જે “વત'થી બતાવે છે – જે જીવ આનેત્રસ્પર્શનને, અનુકૂલ છે તેનેeતે જીવને, મારે પ્રતિકૂળ થવું જોઈએ. જે જીવ સ્પર્શતને પરવશ હોય તે જીવને કર્મપરિણામ પ્રતિકૂલ થાય એવી પાપપ્રકૃતિનો બંધ થાય છે, વળી જે જે જીવ આને સ્પર્શનને, નિરભિળંગપણાને કારણે=સ્પર્શનમાં અનાસક્તપણાને કારણે, પ્રતિકૂલ છે. તેનેeતે જીવને, મારા વડે સુંદર વર્તવું જોઈએ. જે જીવો સ્પર્શેન્દ્રિયમાં આસક્ત નથી તે જીવોને અનુકૂળ એવું પુણ્ય બંધાય છે જે કર્મપરિણામ રાજાનું અનુકૂળ વર્તન છે. વળી, જે એકાંતથી ત્યાગ કરે છે=આ સ્પર્શનનો ત્યાગ કરે છે તેeતે જીવ, મારા વડે પણ-કર્મપરિણામ વડે પણ, સર્વથા ત્યાગ કરવો જોઈએ.
જે જીવો સ્પર્શેન્દ્રિયમાં અનાસક્ત થઈને મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ સ્પર્શનનો ત્યાગ કરીને વીતરાગભાવને પામે છે, ત્યારે માત્ર શાતા-અશાતા વેદનરૂપ કેવલજ્ઞાનના પરિણામરૂપ સ્પર્શન હોય છે અને જ્યારે તેઓ યોગનિરોધ કરીને મોક્ષમાં જાય છે ત્યારે શરીરનો અને શાતા-અશાતાના વેદનરૂપ સ્પર્શનનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે કર્યો પણ તે જીવનો સર્વથા ત્યાગ કરે છે. તેથી કર્મપરિણામ રાજા વિચારે છે કે જે જીવ એકાંતથી સ્પર્શનનો ત્યાગ કરે છે તે જીવ મારા વડે પણ સર્વથા મુકાવો જોઈએ.
તે કારણથી-કર્મપરિણામ રાજાએ પૂર્વમાં કહ્યું એ પ્રમાણે વિચારે છે તેથી, આ પ્રમાણે હોતે છતે બાલ અને મનીષીએ સ્પર્શન સાથે મૈત્રી સ્વીકારી છે એ પ્રમાણે હોતે છતે, આના પ્રત્યેકસ્પર્શત પ્રત્યે, બંને કુમારોનું ચેષ્ટિત વારંવાર નિરીક્ષણ કરીને યથોચિત હું કરીશ=તે કુમારો, મારે જે કરવું ઉચિત હશે એ હું કરીશ એ પ્રમાણે વિચારીને કર્મવિલાસ વડે કહેવાયું – હે વત્સ, તમારા બંને વડે આ સુંદર અનુષ્ઠાન કરાયું, જે કારણથી પ્રાણત્યાગને કરતો=ભવજંતુના વિયોગને કારણે પ્રાણત્યાગને કરતો, આ સ્પર્શત તમારા વડે ધારણ કરાયો. વળી મૈત્રીકરણ વડે સુંદરતર કરાયું, =જે કારણથી, આ બે પુત્રોનો સ્પર્શનની સાથે દૂધમાં ખાંડના યોગ તુલ્ય સંબંધ છે. અકુશલમાલા વડે વિચારાયું – મારી ધન્યતા છે, આના સંબંધથી=સ્પર્શના સંબંધથી, મારું યથાર્થ નામ થશે=બાલને અકુશલ કરનારી યથાર્થ નામવાળી હું થઈશ. દિ...જે કારણથી, આ સ્પર્શતને જે અનુકૂલ છે=જે જીવ અનુકૂલ છે, તે મને અત્યંત વલ્લભ છે. અને તે તે જીવ, જ મને વધારે છે–અકુશલકર્મની હારમાળાને વધારે છે, અને પાલન કરે છે મારાં અકુશલકર્મોને સુરક્ષિત રાખે છે. અને મારા સ્નેહતા ફલવે અનુભવે છે= અકુશલમાલાનો બાલ ઉપર જે પુત્ર રૂપે સ્નેહ છે, તેના ફળરૂપે દુર્ગતિઓના પાત રૂપ ફલને તે જીવા અનુભવે છે, ઈતર અનુભવતો નથી. અનેક વખત મારા વડે અનુભૂતપૂર્વ આ છે=જે સ્પર્શનને અનુકૂળ વર્તે છે તેનાથી સર્વપ્રકારનું મારું હિત થાય છે. એ મેં=અકુશલમાલાએ, અનેક વખત અનુભવ કર્યો છે. અને આ મારો પુત્ર=આ મારો પુત્ર એવો બાલ, આવા પ્રત્યે=સ્પર્શત પ્રત્યે, મુખરાગથી ગાઢ અનુકૂળ જણાય છે. તેથી મારા મનોરથની પૂર્તિ થશે. એ પ્રમાણે વિચારીને તેણી વડે=અકુશલમાલા વડે, બાલ પ્રત્યે કહેવાયું – હે વત્સ, સુંદર અનુષ્ઠિત છે=ાઁ સુંદર કર્યું છે. સુમિત્રની સાથે તારો અવિયોગ થાઓ-સુમિત્ર એવા સ્પર્શનની સાથે તને સદા વિયોગ પ્રાપ્ત ન થાઓ.