________________
૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જે પ્રમાણે ગંધહસ્તી ઈચ્છાથી વિલાસ કરે છે તે પ્રમાણે આ મહામોહ મનુષ્યલોકમાં, પાતાલમાં અને દેવાલયોમાં પણ વિલાસ કરે છે. II૧૩. શ્લોક :
सर्वथा मित्रभावेन, गाढं विश्रब्धचेतसाम् ।
कुर्वन्ति वञ्चनं यच्च, महामोहोऽत्र कारणम् ।।१४।। શ્લોકાર્ચ -
સર્વથા મિત્રભાવથી વિશ્રધ્ધચિત્તવાળાઓને જે જીવો ઠગે છે એમાં મહામોહ કારણ છે. ll૧૪TI શ્લોક :
विलय कुलमर्यादां, पारदार्येऽपि यन्नराः ।
वर्त्तन्ते विलसत्येष, महामोहमहानृपः ।।१५।। શ્લોકાર્ચ -
કુલમર્યાદાનું ઉલ્લંઘન કરીને મનુષ્યો પરસ્ત્રીમાં પણ વર્તે છે, તે આ મહામોહરૂપ મહારાજા વિલાસ કરે છે. ll૧૫ll શ્લોક :
यत एव समुत्पन्ना, जाताश्च गुणभाजनम् ।
प्रतिकूला गुरोस्तस्य, वशे येऽस्य नराधमाः ।।१६।। શ્લોકાર્ચ -
ગુરુથી જ પ્રાપ્ત થયેલા દીક્ષાવાળા અને ગુણનું ભાજન થયેલા નરાધમો આના વશમાં–મહામોહના વશમાં, છે તે જીવો તે ગુરુને પ્રતિકૂલ થાય છે. ll૧૬ શ્લોક :
अनार्याणि तथाऽन्यानि, यानि कार्याणि कर्हिचित् ।
चौर्यादीनि विलासेन, तेषामेष प्रवर्तकः ।।१७।। શ્લોકાર્થ :
અને અન્ય અનાર્ય જે કોઈ ચોરી આદિ કાર્યો છે, તેઓનો=તે ચોરી આદિનો, વિલાસથી આ=મહામોહ, પ્રવર્તક છે. II૧૭ના