________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જોઈ=પ્રભાવને જોઈને, મારા વડે નિવેદન કરાયું વિપાક વડે નિવેદન કરાયું, ઈતરથાકતને અતિકુતૂહલ ન હોત તો, અતિવૈરાપણું હોવાથી વચનમાત્રના ઉચ્ચારણમાં પણ મને અવસર નથી. જે કારણથી મને અગ્રામીકમાં નિયમ છે=રાગકેસરીના પ્રયાણના પ્રસંગે સૈન્યના મોખરે રહેવાનો નિયમ છે. મારા વડે કહેવાયું=પ્રભાવ વડે કહેવાયું – હે આર્ય ! આમાં તારી પરોપકારની વૃત્તિમાં શું કહું? પુરુષો પરોપકારકરણમાં વ્યગ્ર જ હોય છે. તેઓ=સપુરુષો, પર પ્રિયને કરવા માટે ઉધત થયેલા સ્વપ્રયોજનને શિથિલ કરે છે, સ્વભુજાથી ઉપાર્જિત દ્રવ્યનો વ્યય કરે છે. વિવિધ દુઃખોને સહન કરે છે. આપત્તિને ગણતા નથી=પરના ઉપકાર કરવા અર્થે પોતાને જે આપત્તિઓ આવે છે તેને ગણકારતા નથી. મસ્તકને આપે છે=બીજાના ઉપકાર અર્થે પોતાના મસ્તકને આપે છે. બીજાના રક્ષણ અર્થે પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. હિં=જે કારણથી, તેઓ પરપ્રયોજનને જ સ્વપ્રયોજન માને છે. ત્યારપછી=પ્રભાવે વિપાકને આ પ્રમાણે કર્યું ત્યારપછી, આવા પ્રકારનાં મારાં વચનોથી=પ્રભાવે કહ્યું કે ઉત્તમ પુરુષો પરોપકારી હોય છે એવા પ્રકારનાં મારાં વચનોથી, મનમાં પરિતોષને પામેલ એવો વિપાક મારા અભિમુખ થોડું મસ્તક નમાવીને અને હું હવે જાઉં છું એ પ્રમાણે કહીને મારા વડે કરાયેલા પ્રણામવાળો, પ્રભાવ વડે કરાયેલા પ્રણામવાળો=વિપાક ગયો=સેવ્યના અગ્રભાગમાં ગયો. મારા વડે વિચારાયું=પ્રભાવ વડે વિચારાયું. હવે મારા વડે રાજકાર્ય સાધિતપ્રાય છે=બોધનું કાર્ય મારા વડે સાધિતપ્રાય છે. જે કારણથી સ્પર્શનની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરીને તારા વડે આવવું જોઈએ એટલો જ મને રાજાનો આદેશ છે બોધનો આદેશ છે, ત્યાં જેટલા સ્પર્શત આદિના ગુણો આ વિપાક વડે કહેવાયા તે સર્વ પણ તે સ્પર્શનમાં ઘટે છે. આ મને અનુભવસિદ્ધ છે તે કારણથી આ ઉપવણિત માનુષપંચકનો=વિપાક વડે વર્ણન કરાયેલા પાંચ મનુષ્યોનો, આધ આ=સ્પર્શન, થશે. આથી તેની મૂલશુદ્ધિ-સ્પર્શનની મૂલશુદ્ધિ, મારા વડે પ્રાપ્ત થઈ. કેવલ આ સંતોષતા વ્યતિકરને હજુ પણ હું જાણતો નથી=સદાગમને બદલે સંતોષે તે જીવોને મોક્ષમાં પહોંચાડ્યા એમ જે વિપાક કહે છે તે વ્યતિકરને હજી પણ હું જાણતો નથી, આટલો જ વિતર્ક કરું છું, આ=સંતોષ, સદાગમનો અનુચર જ કોઈ હશે, અન્યથા=સદાગમને અનુસરનાર આ સંતોષ ન હોય તો, આ=વિપાકનું કથન અને સ્પર્શનનું કથન એ પૂર્વાપર વિરુદ્ધ થાય. અથવા આવા વડે શું ?=સંતોષ કોણ છે એનો નિર્ણય કરવા માટે શું? સ્વામીના પાદમૂલમાં જાઉં=પ્રભાવ વિચારે છે કે બોધરૂપ સ્વામીના પાસે હું જાઉં, જે પ્રમાણે ઉપલબ્ધ વૃત્તાંત છે તેને નિવેદિત કરું. તેથી દેવ જ=બોધ જ, અહીં=સંતોષના વિષયમાં, યથા ઉચિત જાણશે, એ પ્રકારે વિચારીને હું=પ્રભાવ, આવ્યો છું, આને સાંભળીને દેવ પ્રમાણ છે= બોધ રૂપ દેવ શું ઉચિત નિર્ણય કરવો તેમાં પ્રમાણ છે. બોધ વડે કહેવાયું, હે પ્રભાવ ! સુંદર સુંદર તારા વડે સુંદર આચરણ કરાયું, ત્યારપછી બોધ પ્રભાવ સહિત જ કુમાર સમીપે મનીષી સમીપે પ્રવિષ્ટ થયો, કરાયેલા પ્રણામવાળા એવા તેના વડે કુમારને=મનીષીને, પ્રભાવથી પ્રાપ્ત કરાયેલા વાર્તાનો વૃતાંત નિવેદિત કરાયો, મનીષી તોષ પામ્યો. પ્રભાવની પૂજા કરી.