________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
जैनेन्द्रमततत्त्वज्ञाः, कषायवशवर्तिनः ।
जायन्ते यन्नरा लोके, तन्महामोहशासनम् ।।९।। શ્લોકાર્ધ :
જેનેજમતના તત્વને જાણનારા મનુષ્યો લોકમાં જે કષાયને વશવત થાય છે તે મહામોહનું શાસન છે. II II શ્લોક :
अवाप्य मानुषं जन्म, लब्ध्वा जैनं च शासनम् ।
यत्तिष्ठन्ति गृहासक्ता, महामोहोऽत्र कारणम् ।।१०।। શ્લોકાર્થ :
મનુષ્યજન્મને પામીને અને જૈનશાસન પ્રાપ્ત કરીને જે જીવો ગૃહમાં ઘરમાં આસક્ત રહે છે એમાં મહામોહ કારણ છે. II૧૦ll શ્લોક -
विश्रब्धं निजभर्तारं, परित्यज्य कुलस्त्रियः ।
परेषु यत्प्रवर्त्तन्ते, महामोहस्य तत्फलम् ।।११।। શ્લોકાર્ય :વિશ્વસ્ત એવા પોતાના પતિનો ત્યાગ કરીને જે કુલસ્ત્રીઓ પરપુરુષમાં પ્રવર્તે છે તે મહામોહનું ફળ છે. ||૧૧|| શ્લોક :
विलय च महामोहः, स्ववीर्येण निराकुलः ।
कांश्चिद्विडम्बयत्युच्चैर्यतिभावस्थितानपि ।।१२।। શ્લોકાર્ચ -
નિરાકુલ એવો મહામોહ સ્વવીર્યથી આક્રમણ કરીને યતિભાવમાં રહેલા પણ કેપ્લાક સાધુઓની અત્યંત વિડંબના કરે છે. ll૧ શ્લોક :
मनुष्यलोके पाताले, तथा देवालयेष्वपि । विलसत्येष महामोहो, गन्धहस्ती यदृच्छया ।।१३।।