________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
तत एव प्रवर्त्तन्ते, यान्ति तत्र पुनर्लयम् ।
सर्वे जीवाः परे पुंसि, यथा वेदान्तवादिनाम् ।।५।। શ્લોકાર્ચ -
તેથી જ=મહામોહથી જ, પ્રવર્તે છે દ્વેષાદિ સર્વ લોકો પ્રવર્તે છે. તેમાં=મહામોહમાં, લયને પામે છે દ્વેષાદિ સર્વ લયને પામે છે, જે પ્રમાણે વેદાન્તવાદીઓના મતે સર્વ જીવો પર એવા પુરુષમાં પરમાત્મામાં, લય પામે છે. પI શ્લોક :
महामोहात्प्रवर्त्तन्ते, तथा सर्वे मदादयः ।
लीयन्तेऽपि च तत्रैव, परमात्मा स वर्त्तते ।।६।। શ્લોકાર્ચ -
તે પ્રમાણે સર્વ મદાદિ મહામોહથી પ્રવર્તે છે અને તેમાં જ=મહામોહમાં જ, લય પણ પામે છે. તે=મહામોહ, પરમાત્મા છેષાદિ બધા લોકોનો પરમાત્મા મહામોહ છે. III બ્લોક :
अन्यच्चयद् ज्ञातपरमार्थोऽपि, बुद्ध्वा सन्तोषजं सुखम् ।
इन्द्रियैर्बाध्यते जन्तुर्महामोहोऽत्र कारणम् ।।७।। શ્લોકાર્થ:
અને બીજું, સંતોષથી થનારા સુખને જાણીને જ્ઞાત પરમાર્થવાળો પણ જીવ જે કારણથી ઈન્દ્રિયોથી પીડા પામે છે એમાં, મહામોહ કારણ છે. llણા શ્લોક :
अधीत्य सर्वशास्त्राणि, नराः पण्डितमानिनः ।
विषयेषु रताः सोऽयं, महामोहो विजृम्भते ।।८।। શ્લોકાર્ચ -
સર્વશાસ્ત્રોને ભણીને પોતાને પંડિત માનવાવાળા મનુષ્યો વિષયોમાં રત થયા તે આ મહામોહનો વિલાસ છે. IIII